April 27, 2024

પરિવારે દિલ્હી AIIMSમાં મુખ્તાર અંસારીના ફરીથી પોસ્ટમોર્ટમની કરી માંગ

Mukhtar Ansari Death: યુપીના માફિયા ડોન મુખ્તાર અન્સારીનું ગુરૂવારે નિધન થયું હતું. અન્સારીના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવવામાં આવ્યું છે. બાંદા મેડિકલ કોલેજમાં મુખ્તારનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું હતું. ટૂંક સમયમાં તેનો મૃતદેહ પુત્ર ઉમર અંસારીને સોંપવામાં આવશે. બીજી બાજુ મુખ્તારના મોત બાદ ગાઝીપુર અને મઉ સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ છે. તમામ જિલ્લાઓમાં પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે. નોંધનીય છે કે, બાંદા જેલમાં મુખ્તાર અંસારીની તબિયત અચાનક બગડી હતી, જેના પછી તેમને સારવાર માટે બાંદા મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

આ કુદરતી મૃત્યુ નથી પરંતુ હત્યા છેઃ ઉમર અંસારી
મુખ્તાર અંસારીના નાના પુત્ર ઉમર અંસારીએ પિતાના બીજા પોસ્ટમોર્ટમ વિશે વાત કરતા કહ્યું છે કે તેમનું પોસ્ટમોર્ટમ દિલ્હી એઈમ્સના ડૉક્ટરો દ્વારા ફરીથી કરવું જોઈએ. અમને અહીંના લોકો પર વિશ્વાસ નથી. ડીએમ સાહેબે નક્કી કરવાનું છે. અલ્લાહ જીવન અને મૃત્યુનો માલિક છે. વધુમાં તેમણે કહ્યું કે, અમે ન્યાયતંત્ર તપાસ કરે તેવી અપેક્ષા રાખીએ છીએ. આ મૃત્યુ નથી પણ હત્યા છે. મુખ્તાર અંસારીના નાના પુત્ર ઓમર અંસારીએ બાંદાના ડીએમને પત્ર લખીને પિતાના મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવાની અરજી કરી છે. ઉમરે ફરીથી દિલ્હી એમ્સમાં પોસ્ટમોર્ટમ કરાવવા માટે કહ્યું છે.

મુખ્તાર અંસારીના મૃત્યુની ન્યાયિક તપાસનો આદેશ
માફિયા મુખ્તાર અંસારીના મોતની ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મુખ્તાર અન્સારીનું ગુરુવારે અવસાન થયું હતું. બાંદા જેલમાં હાર્ટ એટેક આવ્યા બાદ તેમને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

દિલ્હીની AIIMSમાં મુખ્તાર અન્સારીનું પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ
મુખ્તાર અન્સારીનું પોસ્ટમોર્ટમ એઈમ્સ દિલ્હીમાં કરાવવાની માંગ કરવામાં આવી છે. ઉમર અંસારીએ તેનું કારણ વિશ્વાસનો અભાવ ગણાવ્યો છે. પિતાને ઝેર આપી હત્યા કરવા અંગે પણ લખવામાં આવ્યું છે. હાલ બાંદા મેડિકલ કોલેજમાં મુખ્તાર અંસારીના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે.

મુખ્તાર અંસારીના મોત પર જયંત ચૌધરીએ કહ્યું, ચોક્કસ થશે તપાસ
મુખ્તાર અંસારીના મોત પર જયંત ચૌધરીએ કહ્યું છે કે તેમની ચોક્કસ તપાસ થશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવા દો. જો કોઈ દોષિત જણાશે તો કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. દેશની જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ છે, તેનો ઉકેલ પણ શોધવો જોઈએ. ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ સારો નથી. આ પણ જોવું જોઈએ.

શું અબ્બાસ અન્સારીને મળશે પેરોલ?
અલ્હાબાદ હાઈકોર્ટમાં મુખ્તાર અંસારીના પરિવારની અરજી સાથે સંબંધિત મામલે સાંસદ-ધારાસભ્ય સંબંધિત કેસોની સુનાવણી કરતી જસ્ટિસ સંજય સિંહની બેન્ચ આજે બેઠી નથી. આ કોર્ટના કેસ અન્ય બેંચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મુખ્તાર અંસારીના વકીલ હવે જસ્ટિસ સમિત ગોપાલની બેંચમાં આ કેસનો ઉલ્લેખ કરશે. ધારાસભ્યના પુત્ર અબ્બાસ અંસારીને પેરોલ આપવા અથવા ન્યાયિક કસ્ટડીમાં અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે વિનંતી કરવામાં આવશે.

મુખ્તાર અંસારી મૃત્યુ કેસની ન્યાયિક તપાસ થશે
મુખ્તાર અંસારી મૃત્યુ કેસની ન્યાયિક તપાસ થશે. બાંદાના સીજેએમ ન્યાયિક તપાસ કરશે. ન્યાયિક કસ્ટડીમાં મૃત્યુના વિવાદિત કેસોમાં ન્યાયિક તપાસ હાથ ધરવાનો નિયમ છે. મુખ્તારનો પરિવાર પણ ન્યાયિક તપાસની માંગ કરી રહ્યો છે. CJM M-MLA કોર્ટના ગરિમા સિંહને તપાસ અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓએ એક મહિનામાં તપાસ રિપોર્ટ જમા કરાવવો પડશે.

મુખ્તાર અંસારી કેસની તપાસ થવી જોઈએ: આદિત્ય યાદવ
સપા નેતા આદિત્ય યાદવે કહ્યું છે કે મુખ્તાર અંસારી કેસની તપાસ થવી જોઈએ. સપા નેતા આદિત્ય યાદવે કહ્યું છે કે મુખ્તાર અંસારી કેસની તપાસ થવી જોઈએ. તપાસ થશે તો તમામ બાબતો સામે આવશે. વહીવટીતંત્ર પર પણ થોડું દબાણ આવ્યું છે. ન્યાયતંત્રે બાબતો નક્કી કરવી જોઈએ. વર્તમાન સરકારે તેની અવગણના કરી છે.

મુખ્તાર અંસારીએ તેમના પર હત્યાના કાવતરાનો આરોપ લગાવ્યો હતો
મુખ્તાર અંસારીએ કોર્ટને લખેલો પત્ર સામે આવ્યો છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ‘અરજદારની હત્યાનું કાવતરું જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, MLC બ્રજેશ સિંહ, BJP MLA સુશીલ સિંહ, STF IG અમિતાભ યશ અને મુખ્ય સચિવ ગૃહ દ્વારા ઘડવામાં આવ્યું છે.’ આ પત્ર 21 માર્ચ 2024ના રોજ બાંદા કોર્ટના સીજેએમને આપવામાં આવ્યો હતો.

પાંચ ડોક્ટરોની પેનલ પોસ્ટમોર્ટમ કરશે.
મુખ્યતાર અંસારીના વકીલે આવીને કહ્યું કે, પાંચ ડૉક્ટરોની પેનલ પોસ્ટમોર્ટમ કરશે. પોસ્ટમોર્ટમ બાદ મુખ્તાર અંસારીના મૃતદેહને ગાઝીપુર મોકલવામાં આવશે.

મુખ્તાર અંસારીના મોત પર શિવપાલ યાદવનું નિવેદન
શિવપાલ સિંહ યાદવે મુખ્તાર અંસારીના મૃત્યુ પર કહ્યું છે કે આ પરિવાર સાથે અમારા ઘણા સારા સંબંધો હતા. સ્વતંત્રતા સંગ્રામમાં પણ આ પરિવારનું યોગદાન હતું. આ મોત શંકાના દાયરામાં છે. કોર્ટે પોતે આમાં રસ લેવો જોઈએ. જેલમાં કોઇનું મૃત્યુ થાય તો તેની જવાબદારી જેલથી લઇને સરકાર સુધીના વહીવટી અધિકારીઓની રહે છે. જ્યારે અબ્બાસના પિતાનું અવસાન થયું ત્યારે ડીએમએ પોતે અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે પરવાનગી આપવી જોઈએ.