May 3, 2024

ઘરમાં રાખો ગાય સહિત આ ખાસ મૂર્તિ, ક્યારેય નહીં થાય ખુટે ધન

Vastu tips: હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર દરેક વસ્તુને યોગ્ય દિશામાં રાખવાથી વ્યક્તિ લાભ મેળવી શકે છે. લોકો પોતાના ઘરની સુંદરતા વધારવા માટે ઘણીવાર ડેકોરેટિવ વસ્તુઓ રાખે છે. તેવી જ રીતે લોકો ઘરની સજાવટ તરીકે પણ મૂર્તિઓ રાખે છે. એવું માનવામાં આવે છે કે આ મૂર્તિઓ ઘરની સુંદરતામાં વધારો કરે છે પરંતુ પરિવારના સભ્યોનું નસીબ પણ તેજ કરે છે. જો તમને આર્થિક નુકસાન સહન કરવું પડતું હોય તો તમે વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખીને આ મૂર્તિઓને તમારા ઘરમાં સ્થાપિત કરી શકો છો.

કાચબો
વાસ્તુ અનુસાર ઘરના ડ્રોઈંગ રૂમની ઉત્તર કે પૂર્વ દિશામાં ધાતુનો કાચબો રાખવો ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે આનાથી ક્યારેય પૈસાની કમી નથી થતી અને સફળતાના માર્ગમાં આવતા અવરોધો દૂર થઈ જાય છે અને વ્યક્તિને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.

માછલી
વાસ્તુ અનુસાર ઘરમાં ધાતુની માછલી રાખવી ખૂબ જ શુભ હોય છે. જે લોકો પોતાના ઘરમાં ધાતુની માછલી રાખે છે તેમના પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. તમારી સંપત્તિ વધારવા માટે તમે તમારા ઘરમાં પિત્તળ અથવા ચાંદીની માછલીની મૂર્તિ રાખી શકો છો.

કામધેનુ ગાય
ગાયને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે તમારા ઘરમાં પિત્તળની કામધેનુ ગાયની મૂર્તિ રાખો છો. તો તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

હાથી
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પિત્તળ અથવા ચાંદીની હાથીની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ હોય છે. તેનાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે અને સકારાત્મક ઉર્જા આવે છે.

હંસની જોડી
વાસ્તુ અનુસાર જો તમે તમારા ડ્રોઈંગ રૂમમાં હંસની જોડીની મૂર્તિ રાખો છો તો તેનાથી તમને આર્થિક લાભ થઈ શકે છે. સાથે જ ઘરમાં બતકની જોડીની મૂર્તિ રાખવાથી લગ્નજીવન સુખી બને છે.