April 27, 2024

સુરતમાં માત્ર 400 રૂપિયાની માથાકૂટમાં મિત્રએ મિત્રનું ઢીમ ઢાળી દીધુ

સુરત: સુરત શહેરમાં જાણે પોલીસનો કોઇ ખૌફ ન રહ્યો હોય તેમ અવારનવાર મારામારી, લૂંટ અને હત્યાની ઘટનાઓના કિસ્સા સામે આવતા રહે છે. સુરત પોલીસ ક્રાઇમને રેસિયો ઘટાડવાના અનેક પ્રયાસ કરી રહી છે પરંતુ શહેરમાં હત્યાની ઘટનાઓનો સિલસિલો યથાવત છે ત્યારે સુરતમાં 11 માર્ચના રોજ નાનપુરા મક્કાઈપુલ સર્કલ પાસે ફુટપાથ પાસે એક બનાવ બન્યો હતો, જેમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.

સુરતમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 11 માર્ચના નાનપુરા મક્કાઈપુલ સર્કલ પાસે ફુટપાથ પાસે મિત્રએ 400 રૂપિયાના ઝઘડામાં મિત્રનું ઢીમ ઢાળી દીધાની ઘટના બની હતી. બંને મિત્રો વચ્ચે માત્ર 400 રૂપિયાની લેવડદેવડ બાબતે ઘર્ષણ થયુ હતું જે બાદ બંને વચ્ચે મારામારી થઇ હતી. જે બાદ 12 માર્ચે યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો: અમરેલીના બાબરા ખાતે I.N.D.I.A ગઠબંધનમાં ભંગાણ

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકની ઓળખ ઓરિસ્સાના બહારપુરીયા ઉર્ફે ભુરીયો તરીકે થઈ છે. વતનના રામકિશોર પ્રધાન નામના મિત્રએ માર મારતા મોત નિપજ્યું છે. બંને વચ્ચે 400 રૂપિયા લેવા બાબતે ઝઘડો થયો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં બંને મિત્રો વચ્ચે મારામારી થઇ હતી. જોકે આ ઘટનાની જાણ થતા પોલીસે ભુરીયાની હત્યા કરનારા રામકિશોરની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.