April 27, 2024

આ મંજૂર નથી… CAA લાગૂ થવા પર ભડક્યા સાઉથ સ્ટાર થાલાપતિ વિજય

મુંબઈ: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 લાગુ કરી દીધો છે. આ કાયદો લાગુ થયા બાદથી વિપક્ષ સરકાર પર અનેક આરોપો લગાવી રહ્યો છે. પરંતુ સાઉથના સુપરસ્ટાર અને તમિઝા વેત્રી કઝગમ (TVK)ના પ્રમુખ થાલાપથી વિજયે કાયદાના અમલીકરણ પર પ્રતિક્રિયા આપી છે.

નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 (CAA) ચાર વર્ષ પહેલા સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ તે હમણાં જ અમલમાં આવ્યો છે. આ કાયદાની મદદથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિન-હિંદુ શરણાર્થીઓ નાગરિકતા મેળવી શકશે. જોકે, વિજય થાલાપથી કેન્દ્રના આ કાયદાના અમલથી ખુશ નથી.

થાલાપતિ વિજયે તમિલ ભાષામાં એક નિવેદન જારી કર્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે, “એવા સમયે જ્યારે દેશના તમામ નાગરિકો સામાજિક સૌહાર્દમાં જીવી રહ્યા છે, ત્યારે નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 (CAA) જેવો કાયદો લાગુ કરવો જોઈએ તે સ્વીકાર્ય નથી.” નિવેદનમાં, થાલાપતિ વિજયે તામિલનાડુ સરકારને અપીલ કરી છે કે તે સુનિશ્ચિત કરે કે આ કાયદો તેમના રાજ્યમાં લાગુ ન થાય.

 

View this post on Instagram

 

A post shared by Vijay (@actorvijay)

તમને જણાવી દઈએ કે થાલાપતિ વિજયનું તેમના રાજકીય પક્ષની જાહેરાત બાદ આ પહેલું નિવેદન છે. ગયા મહિને, 2 ફેબ્રુઆરીએ, વિજયે રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી અને પોતાની નવી પાર્ટીની રચના પણ કરી હતી.

થાલપતિ વિજયની છેલ્લી ફિલ્મ
થાલાપતિ વિજય પહેલા જ રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી ચૂક્યા છે. તેની આગામી ફિલ્મ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ (GOAT) છે, જેનું પોસ્ટર પહેલાથી જ રિલીઝ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત રાજનીતિમાં જતા પહેલા તેમની છેલ્લી ફિલ્મ પણ રિલીઝ થશે, જે રાજકીય વ્યંગ હશે. આ ફિલ્મને હાલમાં થાલાપથી 69 કહેવામાં આવે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મના નિર્દેશક તરીકે હાલમાં બંનેના નામની ચર્ચા થઈ રહી છે. એક છે ત્રિવિક્રમ શ્રીનિવાસ, મહેશ બાબુની તાજેતરની રિલીઝ થયેલી ગુંટુર કરમના દિગ્દર્શક. બીજું નામ એચ વિનોથ છે.