May 7, 2024

શું ભારતમાં વોટ્સએપ બંધ થઈ જશે?

અમદાવાદ: વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં મોટો દાવો કર્યો છે. જો તેમને તેમના મેસેજનું એન્ક્રિપ્શન ખતમ કરવાનો આદેશ આપવામાં આવે તો વોટ્સએપ સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. જો અમને મેસેજના એન્ક્રિપ્શનને સમાપ્ત કરવાનું કહેવામાં આવશે, તો વોટ્સએપનું કામ પોતે જ સમાપ્ત થઈ જશે.

હાઈકોર્ટમાં પડકારી
WhatsApp અને તેની પેરન્ટ કંપની Meta ભારત સરકાર દ્વારા 2021ના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમોને હાઈકોર્ટમાં પડકારી રહી છે. આ સમયે વોટ્સએપનું કહેવું છે કે તેઓ આ કરી શકતા નથી કારણ કે તેમના સંદેશાઓ એન્ક્રિપ્ટેડ છે, જેના કારણે વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં મોટો દાવો કર્યો છે. જો તેમને તેમના મેસેજનું એન્ક્રિપ્શન ખતમ કરવાનો આદેશ આપવામાં આવે તો વોટ્સએપ સંપૂર્ણપણે બંધ થઈ શકે છે.

આ પણ વાંચો: ભારતમાં X થયું ડાઉન, યુઝર્સને થઈ રહી છે સમસ્યા

શું છે મામલો?
આ કાયદો સોશિયલ મીડિયા કંપનીઓ માટે તેમના પ્લેટફોર્મ પર કોઈપણ સંદેશ મોકલનારની ઓળખ જાહેર કરવાનું જરૂરી બનાવે છે. સરકારે વર્ષ 2021માં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો બનાવ્યા હતા. આ નિયમો ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી મોટી સોશિયલ મીડિયા કંપનીઓ પર લાગુ થાય છે. કંપની પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનમાં યુઝર્સના મેસેજ જોઈ શકતી નથી. કંપનીએ કોર્ટમાં કહ્યું કે નવા નિયમોના કારણે યુઝરની પ્રાઈવસી જોખમમાં આવી શકે છે.

વોટ્સએપે શું દલીલ આપી?
એક રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વોટ્સએપના વકીલ કારિયાએ કહ્યું, “દુનિયામાં બીજે ક્યાંય આવો કોઈ નિયમ નથી.” બ્રાઝિલમાં પણ નહીં. વોટ્સએપ તરફથી દલીલ કરવામાં આવી છે કે આ નિયમો એનક્રિપ્શન તેમજ યુઝર્સની ગોપનીયતાને નબળી પાડે છે. તે ભારતના બંધારણની કલમ 14, 19 અને 21 હેઠળ બાંયધરી આપવામાં આવેલ વપરાશકર્તાઓના મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન કરે છે.

ભારત સરકારે શું કહ્યું?
કિર્તિમાન સિંહ સરકાર તરફથી હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે આજના વાતાવરણમાં આવી વ્યવસ્થા જરૂરી છે. બેન્ચે કહ્યું કે ગોપનીયતાનો અધિકાર સંપૂર્ણ નથી અને ક્યાંક સંતુલન જાળવવું જરૂરી છે. સરકારનું એમ પણ કહેવું છે કે જો કોઈ સોશિયલ મીડિયા કંપની એ શોધી શકતી નથી કે એન્ક્રિપ્શન તોડ્યા વિના કોણે મેસેજ શરૂ કર્યો છે, તો આવી ટેક્નોલોજી બનાવવાની જવાબદારી તે કંપનીની છે.