May 19, 2024

પાકિસ્તાને પણ બંગડીઓ નથી પહેરી…ફારૂક અબ્દુલ્લાએ ફરી આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Farooq Abdullah : જેકેએનસી ચીફ ફારૂક અબ્દુલ્લાનું નિવેદન રક્ષા મંત્રી રાજનાથ સિંહના ‘POK ભારતમાં ભળી જશે’ના નિવેદન પર સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે, જો રક્ષા મંત્રી કહેતા હોય તો આગળ વધો, અમે કોણ છીએ. પરંતુ તેમણે યાદ રાખવું જોઈએ કે પાકિસ્તાને પણ બંગડીઓ નથી પહેરી. તેમની પાસે પણ પરમાણુ બોમ્બ છે અને કમનસીબે તે પરમાણુ બોમ્બ આપણા જ પડશે. જેકેએનસી ચીફ ફારૂક અબ્દુલ્લાએ આગળ કહ્યું, મારા શબ્દો પર ધ્યાન આપો. અમરનાથ યાત્રા પૂરી થતાં જ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થશે. અમે વર્ષોથી તૈયાર છીએ.

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ રવિવારે (5 મે) કાશ્મીરના મતદારોને લોકસભા ચૂંટણી માટે મતદાન કરતી વખતે EVM સાથે ચેડાં કરવા અંગે સતર્ક રહેવા જણાવ્યું હતું. અબ્દુલ્લાએ કહ્યું કે, તમામ મતદારો માટે એ જાણવું જરૂરી છે કે EVM ચોરાયેલું મશીન છે.

EVM પર અબ્દુલ્લાએ શું કહ્યું?
અબ્દુલ્લાએ મતદાનના દિવસે કહ્યું હતું કે, તમે ઓળખ પ્રક્રિયામાંથી પસાર થશો અને પછી તમારી આંગળી પર શાહી લગાવવામાં આવશે. જ્યારે તમે EVM બૂથ પર જાઓ છો. ત્યારે તેના પર (LED) લાઇટ તપાસો. તેમણે ઉમેર્યું હતું કે “તમારો મત આપ્યા પછી મશીનમાંથી બીપ સંભળાય છે. જો મશીનમાં લાઇટ ન હોય તો તમારે બહાર આવીને ચૂંટણી કર્મચારીઓને તેના વિશે પૂછવું જોઈએ. તમને જણાવી દઈએ કે પૂર્વ મુખ્યમંત્રી શ્રીનગર લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલા પાર્ટીના ઉમેદવાર આગા રૂહુલ્લા મેહદી માટે પ્રચાર કરી રહ્યા હતા.

આ બેઠક પર 13 મેના રોજ મતદાન થશે. અબ્દુલ્લાએ મતદારોને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી કે VVPAT સ્લિપમાં તેમના પર તે જ ચૂંટણી ચિહ્ન છપાયેલ હોય જેના માટે તેઓએ મતદાન કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે તમારો મત આપ્યા પછી એક (VVPAT) સ્લિપ આવશે. તમારે તપાસવું જોઈએ કે સ્લિપ પરનું ચિહ્ન એ જ છે કે જેના માટે તમે મત આપ્યો છે.

હિન્દુઓને ડરાવવાનો પ્રયાસ?
અબ્દુલ્લાએ પાર્ટીના નેતાઓને “નિષ્ઠાવાન અને પ્રામાણિક” લોકોને ચૂંટણી માટે પોલિંગ એજન્ટ તરીકે નિયુક્ત કરવા વિનંતી કરી. નેશનલ કોન્ફરન્સના પ્રમુખે આરોપ લગાવ્યો કે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીના ફાયદા માટે સાંપ્રદાયિક ભય ફેલાવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, મોદી હિન્દુઓને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે કે જો તેમની પાસે બે ઘર હશે તો વિપક્ષ એક છીનવીને મુસ્લિમોને આપી દેશે.

મુસ્લિમોનું કોઈ શુભચિંતક નથીઃ અબ્દુલ્લા
ત્યારબાદ તેઓ હિન્દુ મહિલાઓને એમ કહીને ડરાવે છે કે તેમનું મંગળસૂત્ર છીનવીને વેચી દેવામાં આવશે. વેચાણમાંથી મળેલી રકમ મુસ્લિમોને આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, ભાજપને ખબર નથી કે કોઈ મુસ્લિમોનું હિતચિંતક નથી. તે ભગવાન છે જે ખોરાક આપે છે અથવા રોકે છે. અબ્દુલ્લાએ કહ્યું કે વર્તમાન ચૂંટણી વિકાસ માટે નથી પરંતુ દેશને બચાવવા માટે છે. તેમણે એમ પણ કહ્યું કે આજે લડાઈ રસ્તા અને વીજળીની નથી. લડાઈ દેશને બચાવવાની છે. કારણ કે દેશ બચશે તો આપણે પણ સુરક્ષિત રહીશું.