April 27, 2024

તાપસી બાદ અભિનેત્રી અદિતિ અને સિદ્ધાર્થે કર્યા ગૂપચૂપ લગ્ન!

મુંબઈ: બોલિવૂડમાં તાપસી બાદ હવે અદિતિના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હોવાની ચર્ચા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંનેના લગ્ન વનપર્થીના શ્રી રંગનાયક સ્વામી મંદિરમાં થયા હતા. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. હવે એવું માનવામાં આવે છે કે બંનેએ એકબીજાને હંમેશ માટે જીવનસાથી બનાવી લીધા છે. એવા પણ અહેવાલ હતા કે અદિતિ રાવ અને સિદ્ધાર્થ લાંબા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. તેમના પ્રેમની શરૂઆત ફિલ્મના સેટ પર થઈ હતી.

રિપોર્ટ્સનું માનીએ તો, અદિતિ અને સિદ્ધાર્થે તેમના લગ્નની તમામ વિધિઓ પરંપરાગત રીત-રિવાજો સાથે કરી છે. આ લગ્ન માટે તમિલનાડુના પૂજારીઓને ખાસ બોલાવવામાં આવ્યા હતા, અભિનેત્રી અદિતિનું મંદિર સાથે ખાસ જોડાણ છે જ્યાં બંનેએ લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

પ્રાપ્ત માહિતી અનુસાર, સિદ્ધાર્થ અને અદિતિના લગ્ન અત્યંત સાદગી સાથે થયા હતા. તેમના લગ્નમાં તેમના પરિવારના સભ્યો સાથે માત્ર ખાસ સંબંધીઓ જ હાજર હતા. જો કે અત્યાર સુધી આ કપલ દ્વારા લગ્નને લઈને કોઈ પણ પ્રકારની તસવીર કે જાહેરાત કરવામાં આવી નથી. તેથી ચાહકો હજી પણ સિદ્ધાર્થ અને અદિતિના લગ્નની તસવીર જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે. જેથી તે આ સમાચાર પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકે.

સિદ્ધાર્થ અને અદિતિ ઘણીવાર સાથે જોવા મળતા હતા. બંને એકબીજા સાથે પોતાની સુંદર તસવીરો પણ શેર કરે છે. જોકે સિદ્ધાર્થ અને અદિતિએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત નથી કરી.