May 9, 2024

જાફરાબાદમાં જૂનવાણી બિલ્ડિંગની દીવાલ ધરાશાયી, બે લોકોનાં મોત

Amreli Jafrabad old building wall collapsed two died

જાફરાબાદમાં બિલ્ડિંગની દીવાલ ધરાશાયી થતા બે લોકોનાં મોત થયા છે.

અમરેલીઃ જિલ્લાના જાફરાબાદમાં જર્જરીત બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જેમાં કુલ 2 યુવકોનાં મોત નીપજ્યાં છે. પહેલાં દીવાલ નીચે દટાઈ જતા ઇજાગ્રસ્ત થતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સારવાર દરમિયાન વધુ એક યુવકનું મોત નીપજ્યું છે.

એક વ્યક્તિનું દટાઈ જતા ઘટનાસ્થળે મોત
મળતી માહિતી પ્રમાણે, જાફરાબાદના ગીરિરાજ ચોકમાં આવેલી એક બિલ્ડિંગની દીવાલ ધરાશાયી થઈ હતી. વર્ષો જૂની જૂનવાણી બિલ્ડિંગના બીજા માળની દીવાલ ધરાશાયી થયા હતા. ત્યારે બિલ્ડિંગ નીચે ચાની કીટલી ધરાવતા આધેડનું ઇજાગ્રસ્ત થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 5થી 6 જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન પણ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આમ આ દુર્ઘટનામાં કુલ 2 લોકોનાં મોત નીપજ્યા છે.

આ પણ વાંચોઃ ચોટીલા નજીક ગમખ્વાર અકસ્માત, 3 લોકોનાં મોત

ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા
ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જ્યારે પાલિકા તંત્રને પણ જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.