May 19, 2024

તમારા બચવાના માત્ર 30 ટકા ચાન્સ છે… અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ કર્યો મોટો ખુલાસો

મુંબઈ: વેબ સીરિઝ ‘ધ બ્રોકન ન્યૂઝ 2’ થી ચર્ચામાં આવેલી બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેને તેના કેન્સરના દિવસો યાદ આવ્યા. તેણે જણાવ્યું કે તેના પતિ ગોલ્ડી બહેલની પ્રતિક્રિયા કેવી હતી જ્યારે 2018માં ડૉક્ટરે તેને અને તેના પતિને કહ્યું કે તેમની બચવાની તક માત્ર 30 ટકા છે. તેણે એ પણ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન તેના પતિએ તેના માટે શું કર્યું અને તેણે શેમાથી પસાર થવું પડ્યું.

મારા પતિ એકદમ ઉદાસ થઇ ગયા
સોનાલી બેન્દ્રેએ આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, “જ્યારે આ બન્યું ત્યારે હું એક રિયાલિટી શો કરી રહી હતી. અમે દર અઠવાડિયે શૂટિંગ કરતા હતા. મને લાગ્યું કે મારી અંદર કંઈક બરાબર નથી. જ્યારે હું ડૉક્ટર પાસે ગઇ ત્યારે અમને ખબર પડી કે તેને કેન્સર છે. પહેલા મને લાગ્યું કે આ પહેલો સ્ટેજ હશે. પરંતુ જેમ જેમ ટેસ્ટ કરવામાં આવ્યા તેમ અમને ખબર પડી કે તે ફેલાઈ ગયું છે. મારા ડૉક્ટર અને મારા પતિને આઘાત લાગ્યો હતો.”

પતિ સાથે ઝઘડો
સોનાલીએ વધુમાં કહ્યું, “મેં એ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કે મને કેન્સર છે. હું ઘરે ગઇ અને સૂઈ ગઇ. પરંતુ જ્યારે હું જાગી ગઇ ત્યારે કંઈ બદલાયું ન હતું. મારા પતિ (ગોલ્ડી બહેલ) એ તરત જ નિર્ણય લીધો અને બે દિવસમાં અમે વિદેશ ચાલ્યા ગયા. હું તેમની સાથે લડી રહી હતી કારણ કે મારો પુત્ર રણવીર સમર કેમ્પ માટે શહેરની બહાર હતો. મેં તેને કહ્યું કે રાહ જુઓ, મને થોડો સમય આપો. તેણે મને કહ્યું કે અન્ય બાબતો વિશે વિચારવાનું બંધ કરે પોતાની જાત પર ધ્યાન આપે. જીવતી રહે.

સોનાલીને ડૉક્ટર પર ગુસ્સો આવ્યો
સોનાલી ભાવુક થઈ ગઈ. તેમના ભાષણને સમાપ્ત કરતા, તેમણે કહ્યું, “મેં મારી કેન્સરની લડાઈ ત્યારે શરૂ કરી જ્યારે મારી બચવાની શક્યતા 30 ટકા હતી. હું મારા ડૉક્ટર સાથે લડતી હતી કે તે આ કેવી રીતે કહી શકે. હું ડૉક્ટરને પૂછતી હતો કે આવું કેવી રીતે થઈ શકે. “પછીથી મને સમજાયું કે તે માત્ર સત્ય કહી રહ્યા હતા.”