October 7, 2024

કંગના રનૌતની મુશ્કેલીઓ વધી! કોર્ટે આઝાદીના નિવેદન મામલે નોટિસ મોકલી

Kangana Ranaut Gets Notice: BJP સાંસદ બનેલી અભિનેત્રી કંગના રનૌત પોતાના નિવેદનોને કારણે સતત મુશ્કેલીમાં ફસાઈ રહી છે. આવા જ એક વિવાદાસ્પદ નિવેદનમાં જબલપુર કોર્ટે તેમને નોટિસ મોકલી છે. આ કેસમાં કોર્ટે કંગના રનૌતને નોટિસ પાઠવી છે. હવે આ કેસની આગામી સુનાવણી 5 નવેમ્બરે થશે. ફરિયાદી એડવોકેટ અમિત સાહુનું કહેવું છે કે કંગનાના નિવેદનથી માત્ર સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓનું જ અપમાન નથી થયું પરંતુ દરેક ભારતીયને પણ દુઃખ થયું છે. તેમણે વધુમાં કહ્યું કે તેમનું નિવેદન એ અમર સેનાનીઓનું અપમાન છે જેમણે દેશની સ્વતંત્રતા આંદોલનમાં યોગદાન આપ્યું હતું.

કંગના રનૌતે શું કહ્યું?
નોંધનીય છે કે, કંગનાએ વર્ષ 2021માં કહ્યું હતું કે ભારતને 1947માં આઝાદી મળી, તે આઝાદી નહીં પણ ભીખ હતી. અસલી આઝાદી 2014માં પ્રાપ્ત થઈ હતી. તેમના નિવેદન પર ભારે હોબાળો થયો હતો, જ્યાં તમામ વર્ગના લોકોની પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. તેમના નિવેદન પર ઘણા રાજ્યોમાં કેસ પણ નોંધવામાં આવ્યા હતા.