October 6, 2024

ગાઝાની મસ્જિદો છે ‘હમાસનો અડ્ડો’! ઈઝરાયલ બનાવી રહ્યું છે નિશાન, એર સ્ટ્રાઈકમાં 24 લોકોના મોત

Israel: ઈઝરાયલે રવિવારે (6 ઓક્ટોબર) ગાઝા મસ્જિદ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે. જ્યારે 93 લોકો ઘાયલ થયા છે. આ હુમલો મધ્ય ગાઝા પટ્ટીમાં દેર અલ-બાલાહમાં અલ-અક્સા હોસ્પિટલ પાસેની એક મસ્જિદ પર થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે વિસ્થાપિત લોકો પણ મસ્જિદમાં રહેતા હતા.

ઈઝરાયલી સેનાએ નિવેદન જારી કર્યું
ઈઝરાયલની સેનાએ એર સ્ટ્રાઇકને લઇને જારી કરેલા નિવેદનમાં કહ્યું છે કે, “દેઇર અલ-બાલાહ વિસ્તારમાં આવેલી ‘શુહાદા અલ-અક્સા’ મસ્જિદમાં હાજર હમાસના આતંકવાદીઓ પર સચોટ હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકવાદીઓ અહીંથી કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્ર ચલાવી રહ્યા હતા. “

ગાઝામાં ધાર્મિક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, “ઈઝરાયલી હુમલામાં ગાઝાની 1,245 મસ્જિદોમાંથી 814 ને ગંભીર નુકસાન થયું છે.” જે 60 કબ્રસ્તાનોને ઇરાદાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમાંથી મંત્રાલયની મિલકતોને નુકસાનની અંદાજિત નાણાકીય કિંમત $350 મિલિયન છે.

આ પણ વાંચો: બંગાળમાં કેમ વધી રહ્યા છે દુષ્કર્મના કેસ? રાજ્યપાલે મમતા સરકારને ગણાવી જવાબદાર 

આ આરોપો ઈઝરાયલની સેના પર લગાવવામાં આવ્યા હતા
ગાઝામાં ધાર્મિક બાબતોના મંત્રાલયે ઈઝરાયલ પર કબરોની અપવિત્રતા, મૃતદેહો ખોદવાનો અને મૃતકો સામે હિંસા કરવાનો આરોપ મૂક્યો છે. આ સિવાય તે તેના અવશેષો ચોરી રહી છે અને તેને વિકૃત કરી રહી છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં જમીની હુમલા દરમિયાન ઈઝરાયલી દળોએ તેના 238 કર્મચારીઓને મારી નાખ્યા હતા. આ સિવાય અન્ય 19 લોકોની અટકાયત કરવામાં આવી છે.