May 2, 2024

ગુજરાતનું મંત્રીમંડળ આજે અયોધ્યામાં કરશે રામલલ્લાના દર્શન

અમદાવાદ: અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ અલગ અલગ દિવસે દેશનાં અલગ અલગ રાજ્યોનાં મંત્રી મંડળ અયોધ્યાદર્શેને જઇ રહ્યા છે. ત્યારે આજે ગુજરાતનું મંત્રી મંડળ અયોધ્યા જશે. રામ મંદિર નિર્માણ બાદ સમગ્ર મંત્રી મંડળ દર્શને જશે. મુખ્યમંત્રી સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી હાજર રહેશે. નોંધનીય છે કે, સવારે 8.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થશે. મંત્રી મંડળ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ પણ અયોધ્યા જશે.

મળતી માહિતી અનુસાર આજે ગુજરાતનું મંત્રી મંડળ અયોધ્યા જશે. CM ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ અયોધ્યાની મુલાકાતે છે. તમને જણાવી દઇએ કે, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, દેશની અંદર જે સનાતન ધર્મમાં માને છે તેમની માટે ઉત્સાહનો પર્વ છે. વધુમાં તેમણે કહ્યું કે, વિધાનસભાના સત્રના કારણે અમે અયોધ્યા જઈ શક્યા નથી. હવે સત્ર પૂર્ણ થયા બાદ અમે સૌ અયોધ્યા જઇ રહ્યા છીએ.

વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતનાં લોકોમાટેની સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરીશું. આગામી 25 વર્ષનો જે રોડ મેપ છે તેની માટે ભગવાનને પ્રાર્થના કરીશું.