September 12, 2024

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર રવિન્દ્ર જાડેજાએ શેર કર્યું ‘ઠેકાણું’

જામનગર: T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ હાલ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા રજા માણમા વતન પહોંચ્યાં છે. રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ‘ઠેકાણું’ બતાવ્યું છે. રવિન્દ્ર જાડેજાએ કરેલ પોસ્ટમાં તેમણે પોતાનો એક ફોટો શેર કર્યો છે. શેર કરેલ ફોટામાં રવીન્દ્ર ફાર્મ હાઉસ પર નિરાંતની મોજ માણતા જોવા મળી રહ્યા છે.

ફોટામાં જોઈ શકે છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ઝાડની નીચે ખાટલા પર નિરાંતનો દમ લઈ રહ્યા છે. તસ્વીર પોસ્ટ કરી કાઠિયાવાડી કેપ્સનમાં લખ્યું છે ‘ઠેકાણું’ # farm. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સર રવિન્દ્ર જાડેજા દ્વારા પોસ્ટ કરવામાં આવેલ આ પોસ્ટ પર અત્યારસુધી 4 લાખથી વધુ લાઇક મળી ચૂકી છે અને હજારો લોકો કમેંટ્સ પણ કરી રહ્યા છે.

મહત્વનું છે કે, ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું જામનગરમાં 4 માલનું ભવ્ય સુંદર શાહી ઘર છે. ઘરની સજાવટ અને કાપડની વાત કરીએ તો ક્લાસિક ટચને પ્રતિબિંબિત કરવા માટે, શાહી ઘટકો જેમ કે એન્ટિક સજાવટ, પેટર્ન અને સામગ્રી ઉમેરવામાં આવી છે જેથી તેને પરંપરાગત લક્ઝરી સિમ્બ્લેન્સ આપવામાં આવે. લીલોતરીથી ઘેરાયેલું, આ રમતવીરનું ઘર દરવાજો ખુલે તે ક્ષણથી એક શાહી નિવાસની યાદ અપાવે છે. રવિન્દ્ર જાડેજાના નિવાસસ્થાનનો મુખ્ય દરવાજો મહારાજા દરબારના જેવો જ છે, જેમાં મોટા અને સુંદર રીતે બાંધવામાં આવેલા દરવાજા તેમના પરિવારના વંશ અને ખાનદાની દર્શાવે છે, જે તેને એક વિશિષ્ટ પ્રાચીન વાતાવરણ આપે છે.