September 20, 2024

PAK ના ઈસ્લામોફોબિયાના પ્રસ્તાવથી દૂર રહી UNમાં ભારતે સીધુ પરાખાવી દીધુ

યુએન: ફોબિયા માત્ર ઈબ્રાહિમ ધર્મો પૂરતો મર્યાદિત નથી. એવા ઘણા પુરાવા છે જેના પરથી સમજી શકાય છે કે બિન-ઈબ્રાહિમ ધર્મો પણ આનાથી પ્રભાવિત છે. ભારતે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રમાં યહૂદી વિરોધી, ક્રિશ્ચિયનફોબિયા અથવા ઇસ્લામોફોબિયાની નિંદા કરી હતી. પરંતુ હિન્દુ, બૌદ્ધ અને શીખોને અસર કરતા ફોબિયામાં ઉમેર્યું હતું અને કહ્યું હતું કે ઈબ્રાહિમ ધર્મો ઉપરાંત ધાર્મિક ભયને ઓળખવાની જરૂર છે.

પાકિસ્તાને ઇસ્લામોફોબિયાનો સામનો કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક ઠરાવ રજૂ કર્યો હતો. જેનાથી ભારતે પોતાની જાતને દૂર કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે જણાવ્યું હતું કે, “…બહુલતાવાદના ગૌરવશાળી ચેમ્પિયન તરીકે, ભારત તમામ ધર્મો અને તમામ આસ્થાઓના સમાન સંરક્ષણ અને સંવર્ધનના સિદ્ધાંતને નિશ્ચિતપણે સમર્થન આપે છે. આ સ્વીકાર કરવું પણ જરૂરી છે કે ફોબિયા ઈબ્રાહિમ ધર્મથી પણ આગળ સુધી ફેલાયેલો છે.

‘ગુરુદ્વારા, મઠો અને મંદિરો જેવા ધાર્મિક સ્થળો પર હુમલા વધ્યા’
રૂચિરા કંબોજે જણાવ્યું હતું કે દાયકાઓના પુરાવા દર્શાવે છે કે બિન-ઈબ્રાહિમ ધર્મોના અનુયાયીઓ પણ ધાર્મિક ફોબિયાથી પ્રભાવિત થયા છે. ખાસ કરીને હિન્દુ વિરોધી, બૌદ્ધ વિરોધી અને શીખ વિરોધી તત્વો પણ સામે આવ્યા છે. “ગુરુદ્વારા, મઠો અને મંદિરો જેવા ધાર્મિક સ્થળો પર વધતા હુમલાઓ સાથે, તે સ્પષ્ટ છે કે અન્ય ધર્મો પણ ફોબિયાથી કેવી રીતે પ્રભાવિત છે.”

193-સભ્ય યુએનજીએ પાકિસ્તાન દ્વારા રજૂ કરાયેલ ‘ઇસ્લામોફોબિયા સામે લડવાના પગલાં’ ઠરાવને અપનાવ્યો, જેના તરફેણમાં 115 દેશોએ મતદાન કર્યું. કોઈ દેશે તેનો વિરોધ કર્યો નથી. જોકે, ભારત, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, યુક્રેન અને બ્રિટન સહિત 44 દેશોએ ઠરાવ પર વોટિંગ કરવાથી દૂર રહ્યા હતા.

‘સંયુક્ત રાષ્ટ્રનું વિભાજન થઈ શકે છે’
ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઠરાવને અપનાવવાથી એવી મિસાલ ન હોવી જોઈએ કે જે ચોક્કસ ધર્મો સાથે સંબંધિત ઠરાવો તરફ દોરી જાય. જે સંયુક્ત રાષ્ટ્રને ધાર્મિક શિબિરોમાં વિભાજિત કરી શકે. રુચિરા કંબોજે જણાવ્યું હતું કે, “સંયુક્ત રાષ્ટ્રો માટે ધાર્મિક ચિંતાઓથી ઉપર રહેવું મહત્વપૂર્ણ છે કે જે આપણને વિશ્વને એક વૈશ્વિક પરિવાર તરીકે સ્વીકારીને શાંતિ અને સંવાદિતાના બેનર હેઠળ એક થવાને બદલે વિભાજિત કરે. તે કરવાની ક્ષમતા ધરાવે છે.”