May 9, 2024

બિહારના કટિહારમાં અમિત શાહે કહ્યું- જો INDIA ગઠબંધન સત્તામાં આવશે તો…

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાની સમાપ્તિ સાથે જ પ્રચારમાં પાકિસ્તાનની એન્ટ્રી થઇ ગઇ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના કટિહારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન મોદી સરકારના વિકાસ કાર્યોનો હિસાબ રજૂ કરતી વખતે તેમણે પરિવારવાદના મુદ્દે વિરોધીઓ પર જોરદાર નિશાન સાધ્યું હતું. NDA સમર્થિત JDU ઉમેદવાર દુલારચંદ ગોસ્વામીના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સુરક્ષિત બનાવ્યો છે. જો નક્સલવાદ ખતમ કર્યો છે તો આતંકવાદ પર પણ અંકુશ આવશે.

પાકિસ્તાનના બહાને કોંગ્રેસ પર નિશાન સાધ્યું
અમિત શાહે કહ્યું, ‘મોદીએ નક્સલવાદને ખતમ કર્યો અને આતંકવાદને કાબુમાં કર્યો. જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી, ત્યારે આતંકવાદીઓએ પોતાની મરજીથી હુમલા કર્યા હતા અને કોઈ જવાબી કાર્યવાહી કરવાની હિંમત દાખવી શક્યું ન હતું. તેનાથી વિપરીત, ઉરી અને પુલવામા હુમલા પછી તરત જ સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. અમારા સુરક્ષાકર્મીઓએ પાકિસ્તાની સરહદમાં ઘૂસીને ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

આ પણ વાંચો: રાજનાથ સિંહે સંદેશખાલી મુદ્દે કહ્યું, ‘પછી જોઈશું કોણે માનું દૂધ પીધું છે…’

રમખાણોના ગુનાઓ અને અત્યાચાર
તેમણે કહ્યું કે જો ‘INDIA’ ગઠબંધન સત્તામાં આવશે તો રમખાણો, ગુનાઓ અને અત્યાચારો વધશે જ્યારે મોદીજી અને નીતીશજીની સરકાર રહેશે તો બિહારનો વિકાસ થશે. તેમણે વધુમાં કહ્યું કે દેશની જનતાએ નક્કી કરવાનું છે કે દેશના પીએમ કોણ હશે. હું દેશભરમાં ફર્યો છું. મોદી જ્યાં જાય છે ત્યાં મોદી મોદીના નારા લગાવવામાં આવે છે. મોદીજીએ આ દેશમાંથી પરિવારવાદ, તુષ્ટિકરણ ખતમ કરવાનું કામ કર્યું અને દરેક વ્યક્તિના વિકાસ માટે કામ કર્યું છે.