June 30, 2024

T20 WC 2024: ટીમ ઇન્ડિયાને જીતાડવા કપિલ દેવે આપ્યો આ ગુરુમંત્ર

T20 WC 2024: ભારતીય ટીમ આજે T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ આમને સામને ટકરાવાની છે. હવે માત્ર 2 કલાક જેવો સમય બાકી રહ્યો છે. જે ટીમ આ મેચ જીતશે તેનો સામનો 29 જૂને તેનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. આ વિશે કપિલ દેવ ભારતીય ટીમ વિશે આ કહ્યું છે. આવો જાણીએ કે ભારતીય ટીમને ટાઈટલ જીતવા માટે શું કામ કરવાનું રહેશે.

ટાઇટલ જીતવાની નજીક
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન જોવા જોરદાર જોવા મળ્યું છે. હવે તો ટાઇટલ જીતવાની ખુબ નજીક પહોંચી ગઈ છે ટીમ ઈન્ડિયા. જે ટીમ આજની મેચમાં જીતશે તેનો ફાઇનલમાં મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. કપિલ દેવે ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે શુભકામનાઓ પાઠવી છે. આ સાથે ઘણા ગુરુમંત્ર પણ આપ્યા છે. જો તેને રોહિત શર્મા પાલન કરશે તો ટીમ ઈન્ડિયા ચોક્કસથી જીત પ્રાપ્ત કરી લેશે.

આ પણ વાંચો: IND vs ENG Weather Update Live: ભારત-ઈંગ્લેન્ડની ટક્કર વચ્ચે ગુયાનાનું હવામાન કેવું છે?

કપિલ દેવે કહી આ વાત
કપિલ દેવે કહ્યું કે રોહિત શર્માની ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ જીતી શકે તેમ છે. કારણ કે ટીમ સામૂહિક રીતે મેચ રમવાની ભૂમિકા ભજવશે. રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા કે કુલદીપ યાદવ તમામે ભૂમિકા ભજવી પડશે. વધુમાં કહ્યું કે મેચ જીતવા માટે કોઈપણ એક ખેલાડીનું પ્રદર્શન મહત્વનું હોઈ શકે છે, પરંતુ ટૂર્નામેન્ટ માટે બધાએ એકતાથી કામ કરવું પડશે.