IRCTC લાવ્યું ખાસ નેપાળ પેકેજ, જાણો સમગ્ર પ્લાન
અમદાવાદ: જો તમે મે અથવા જૂન મહિનામાં નેપાળ જવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના સાબિત થઈ શકે છે. ભારતીય રેલવે IRCTC નેપાળની મુલાકાત લેવાની તક આપી રહી છે. પાડોશી દેશ માટે IRCTCનું 5 રાત અને 6 દિવસનું ટૂર પેકેજ 12 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે. જેમાં મુસાફરોને કાઠમંડુ અને પોખરા લઈ જવામાં આવશે. આ પેકેજ નવી દિલ્હીથી શરૂ થશે. આ પેકેજમાં તમને પશુપતિનાથ મંદિર, મનોકામના મંદિર, ગુપ્તેશ્વર મહાદેવ મંદિર જેવા અનેક મંદિરોની મુલાકાત લેવાની તક મળશે.
Embark on an unforgettable journey to the heart of the Himalayas with our "Best of Nepal" package! Explore the cultural richness of Kathmandu and the serene beauty of Pokhara on this 5 Nights/6 Days adventure.
🛫 Departure from Delhi
🗓️ Departure Dates: 23.05.2024 & 15.06.2024… pic.twitter.com/65RcWVIg1B— IRCTC (@IRCTCofficial) April 13, 2024
મુસાફરોને દિલ્હીથી કાઠમંડુ માર્ગો માટે એર ટિકિટ મળશે. તમને નેપાળ એરલાઈન્સમાંથી ટિકિટ મળશે. આ પેકેજમાં તમને પશુપતિનાથ મંદિરની મુલાકાત લેવાની તક પણ મળશે. આ પેકેજમાં બ્રેકફાસ્ટ અને ડિનરની સુવિધા ઉપલબ્ધ છે. મુસાફરોએ બપોરના જમવાની વ્યવસ્થા પોતાની રીતે કરવાની રહેશે. મુસાફરોને પેકેજમાં મુસાફરી વીમાની સુવિધા મળશે. પેકેજમાં તમે કાઠમંડુમાં 3 રાત અને પોખરામાં 2 રાત રહેશો. આ પેકેજમાં કુલ સીટોની સંખ્યા 36 છે. પેકેજ 36,500 રૂપિયા પ્રતિ વ્યક્તિથી શરૂ થશે.
આ પણ વાંચો: આ PUBG શું છે? ટૉપ ગેમર્સને પીએમ મોદીએ સંભળાવ્યો ‘પરીક્ષા પે ચર્ચા’નો કિસ્સો
ટૂર પેકેજની ખાસ વિશેષતાઓ
– પેકેજનું નામ – Best of Nepal
– પ્રવાસ કેટલા દિવસ ચાલશે – 5 રાત અને 6 દિવસ
– યાત્રાની તારીખ – 23 મે અને 15 જૂન, 2024
– ભોજન – નાસ્તો અને રાત્રિભોજન
– મુસાફરી મોડ – ફ્લાઇટ
– ક્લાસ – ઈકોનોમી
કેવી રીતે બુક કરવું
તમે આ પેકેજ IRCTCની સત્તાવાર વેબસાઇટ પરથી બુક કરી શકો છો. મહત્વનું છે કે હાલ ભારતમાં પ્રવાસન મોડ ચાલી રહ્યો છે. જેના કારણે ઘણા લોકો અલગ અલગ જગ્યાની મુલાકાત લેવાનું પ્લાન કરી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને IRCTC દ્વારા પણ ઘણા ટૂર પ્લાન અને પેકેજ લોન્ચ કર્યા છે.