April 30, 2024

ભારતીય કોસ્ટ ગાર્ડે દરિયામાં ફસાયેલ માછીમારોની બોટને બચાવી

ભારતીય કોસ્ટ ગાર્ડ ઘણા માછીમારો અને તેમના જહાજોને મદદ કરતુ રહે છે.

નવી દિલ્હી: ભારતીય કોસ્ટ ગાર્ડ એ કારવાડ નજીક તાત્કાલિક બચાવ કામગીરીમાં રોઝરી નામની માછીમારીની બોટને બચાવી હતી. જેનું એન્જિન કારવાડથી 215 નોટિકલ માઇલ દૂર ખરાબ થઇ ગયું હતું. રક્ષા મંત્રાલયના એક અધિકારીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ICG જહાજ સાવિત્રીબાઈ ફૂલે, એક મુશ્કેલીના કોલનો જવાબ આપતી વખતે પડકારજનક દરિયાઈ પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા બોટ સાથે કાર્યક્ષમ રીતે સંપર્ક સ્થાપિત કર્યો હતો. ICG એ તરત જ એક ટીમને સ્થળ પર તૈનાત કરી અને બોટને સંપૂર્ણપણે સ્થિર થવાથી બચાવવા માટે ખરાબ થયેલ એન્જિનને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

દરિયાકાંઠાથી વધુ અંતરના કારણે ICG કર્ણાટક કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટના સહયોગથી, રોઝરીને સલામત સ્થળે પાછા લઈ જવાનું નક્કી કર્યું હતું. માછીમારી બોટને સફળતાપૂર્વક ટોઇંગ કર્યા પછી તેને IFB લક્ષ્મી નારાયણને સોંપવામાં આવી હતી, જે બાદ તેને સુરક્ષિત રીતે કારડ પોર્ટ પર લઈ જવામાં આવી હતી.

આ પણ વાંચો: ‘વિપક્ષ બંધારણ બદલવાની વાત કરીને ગેરમાર્ગે દોરે છે, તેણે પોતે જ 80 વખત તેને બદલ્યું’: નીતિન ગડકરી

ભારતીય કોસ્ટ ગાર્ડના સમયસર પ્રતિસાદ અને સંકલિત પ્રયાસોએ માછીમારો અને તેમના જહાજને સુરક્ષિત પાછા ફરવાની ખાતરી આપી હતી.

ઉલ્લેખનિય છે કે, ભારતીય કોસ્ટ ગાર્ડ ઘણા માછીમારો અને તેમના જહાજોને મદદ કરતુ રહે છે. મુસીબતમાં ફસાયેલા ઘણા માછીમારોની વ્હારે ભારતીય કોસ્ટ ગાર્ડ આવે છે અને તેમને સહીસલામત સુરક્ષિત સ્થાને ખસેડે છે.