May 2, 2024

ડૂંગરપુર કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઝમ ખાનને 7 વર્ષની સજા

Azam Khan Dungarpur Case: ઉત્તરપ્રદેશના સમાજવાદી પાર્ટીના નેતા અને કેબિનેટ મંત્રી આઝમ ખાનને મોટો ઝટકો લાગ્યો છે. રામપુરના એમપી-એમએલએ કોર્ટે તેમને ડૂંગરપુર મામલામાં સાત વર્ષની સજા સંભળાવી છે. રામપુરના ડૂંગરપુરમાં મકાન તોડવાના ચર્ચિત કેસમાં પૂર્વ મંત્રી મોહમ્મદ આઝમ ખાનને ધારા 452 અંતર્ગત 7 વર્ષ માટે સજા જાહેર કરવામાં આવી છે. આ સાથે 5 લાખ રુપિયાનો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કલમ 427માં 2 વર્ષની સજા અને એક લાખ દંડ તથા કલમ 504,506 માટે બે વર્ષની સજા એ સાથે 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત રામપુર શહેરના ભૂતપૂર્વ નાયબ પોલીસ અધિક્ષક આલે હસન ખાન અને પૂર્વ નગરપાલિકા અધ્યક્ષ અઝહર અહેમદ ખાન સહિત ત્રણ લોકોને કલમ 452 હેઠળ 5 વર્ષની કેદ અને 2,00,000નો દંડ અને કલમ 427, 506, 504 હેઠળ એક-એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે તેમને 50-50 હજાર રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી હતી.આ સજા રામપુરના સાંસદ ધારાસભ્ય સ્પેશિયલ કોર્ટ સેશન ટ્રાયલ ડૉ. વિજય કુમારની કોર્ટે આપી હતી.

આકાશ સક્સેનાએ જવાબ આપ્યો
આઝમ ખાનને સજા સંભળાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા અને રામપુરના ધારાસભ્ય આકાશ સક્સેનાએ કહ્યું કે, આ ગંભીર બાબત લૂંટનો મામલો હતો. કોર્ટનો નિર્ણય ઘણો ઐતિહાસિક છે. આ નિર્ણય તે લોકો, સરકારી અધિકારીઓ અને અન્ય લોકોના ધ્યાનમાં આવવો જોઈએ જેમણે સરકારમાં મોટા લોકોને ખુશ કરવા માટે તેમના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો.

સક્સેનાએ કહ્યું કે, જૂની સરકારમાં જેમણે પણ અત્યાચાર કર્યો છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આઝમ ખાન સામેની લડાઈ વધુ મજબૂત બની રહી છે. રામપુર કોઈનો ગઢ નથી. આ માત્ર લોકોનો ડર હતો. આજે સમયે દરેકને જવાબ આપી રહ્યો છે આલે હસનનો ઉલ્લેખ કરતા સક્સેનાએ કહ્યું કે પૂર્વ અધિકારીએ રામપુરના લોકોને ત્રાસ આપ્યો અને તેમને બેઘર બનાવી દીધા. તેમને તમામને આજે જવાબ મળ્યો છે.