May 3, 2024

CM કાલે કોર્ટમાં જણાવશે કે ક્યાં છે દારૂ કૌભાંડના પૈસા, સુનીતા કેજરીવાલનો સનસનીખેજ દાવો

નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે એક સનસનીખેજ દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુરુવારે (28 માર્ચ) કોર્ટમાં જણાવશે કે દારૂ કૌભાંડના પૈસા ક્યાં છે.” સુનીતા કેજરીવાલે એક વીડિયો સંદેશમાં કહ્યું કે ગઈકાલે સાંજે હું દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા જેલમાં ગઈ હતી.

તેમણે કહ્યું કે કેજરીવાલને શુગર છે. આ કારણે તેમનું શુગર લેવલ સારું નથી. આમ છતાં તેમનો નિશ્ચય મજબૂત છે. બે દિવસ પહેલા તેમણે દિલ્હીના મંત્રી આતિશી માર્લેનાને સંદેશો મોકલ્યો હતો કે લોકોની પાણી અને ગટરની સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. તેના પર પણ ભાજપે તેમની સામે કેસ કર્યો હતો. આ અંગેની માહિતી મળતાં અરવિંદ કેજરીવાલ ખૂબ જ દુઃખી થયા હતા.

EDએ છેલ્લા બે વર્ષમાં 200 થી વધુ દરોડા પાડ્યા – કેજરીવાલ
સુનીતા કેજરીવાલે વીડિયો સંદેશમાં વધુમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલે મને જેલમાં વધુ એક વાત કહી. તેમણે કહ્યું કે EDએ છેલ્લા બે વર્ષમાં દારૂના કૌભાંડની તપાસમાં 200થી વધુ દરોડા પાડ્યા છે. તેઓ દારૂના કૌભાંડના પૈસા શોધી રહ્યા છે. જોકે, તેમ છતાં તેને ક્યાંય એક પણ પૈસો મળ્યો ન હતો. તેઓએ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા, સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા અને સતેન્દ્ર યાદવના ઘરે પણ દરોડા પાડ્યા પરંતુ તેમને એક પૈસો પણ મળ્યો નથી. EDએ અમારા ઘરે દરોડા પાડ્યા પરંતુ તેમને માત્ર 73 હજાર રૂપિયા જ મળ્યા.

આ પણ વાંચો: કેજરીવાલની ધરપકડ પર અમેરિકાની ટિપ્પણી, જયશંકરનો જડબાતોડ જવાબ

અરવિંદ કેજરીવાલ સાચા દેશભક્ત, નીડર અને હિંમતવાન વ્યક્તિ છે – સુનીતા કેજરીવાલ
દારૂ કૌભાંડ કેસના સંદર્ભમાં ED દ્વારા અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવા અંગે અરવિંદ કેજરીવાલની પત્નીએ કહ્યું કે મારા પતિ આવતીકાલે એટલે કે 28 માર્ચે દારૂ કૌભાંડના પૈસા અંગે કોર્ટમાં હાજર થશે. દારૂના કૌભાંડના પૈસા ક્યાં છે તે અંગે અમે સમગ્ર દેશને સત્ય જણાવીશું અને તેની સાથે જોડાયેલા તમામ પુરાવા પણ કોર્ટ સમક્ષ રજૂ કરીશું. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ સાચા દેશભક્ત, નીડર અને હિંમતવાન વ્યક્તિ છે. તેમણે કહ્યું કે મારું શરીર જેલમાં છે, પણ મારો આત્મા તમારી વચ્ચે છે.