May 3, 2024

નાયબ સૈની સરકારના કેબિનેટ વિસ્તરણમાં કોને મળ્યું સ્થાન…!

Haryana Cabinet Expansion: હરિયાણાની નાયબ સિંહ સૈની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આઠ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. તમામની નજર પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ પર ટકેલી હતી, જોકે આ સમારોહથી દૂર જોવા મળ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં આઠ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા, જેમાંથી એકને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે બાકીના સાતને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.

આ સૈનીની નવી ટીમ
સોહનાના ધારાસભ્ય સંજય સિંહ, ધારાસભ્ય વિશંભર વાલ્મિકી, સુભાષ સુધા, અભય યાદવ, અસીમ ગોયલ, મહિપાલ ધંડા, બડખાલના ધારાસભ્ય સીમા ત્રિખા, ડૉ. કમલ ગુપ્તાએ મંત્રી તરીકે શપથ લીધા છે.

આ કેબિનેટ મંત્રી તરીકે શપથ લઈ ચૂક્યા છે

  1. કંવરપાલ ગુર્જર
  2. મૂળચંદ શર્મા
  3. રણજીત સિંહ
  4. જેપી દલાલ
  5. ડો. બનવારીલાલ

સૂત્રોનો દાવો છે કે સૌની સરકારનું કેબિનેટ વિસ્તરણ લોકસભા ચૂંટણી પછી થવાનું હતું, પરંતુ બાદમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કેબિનેટમાં જાતિ અને પ્રાદેશિક સંતુલન સ્થાપિત કર્યા પછી જ ભાજપે લોકસભાની ચૂંટણીમાં ઉતરવું જોઈએ. હાલમાં કેબિનેટમાં સીએમ ઓબીસી, બે જાટ, એસસી, ગુર્જર અને બ્રાહ્મણ સમુદાયના એક-એક મંત્રી છે.

પંજાબી, રાજપૂત, વૈશ્ય અને યાદવ સમુદાયના કોઈ મંત્રીઓ ન હતા,જેના કારણે ભાજપ હાઈકમાન્ડે ચૂંટણી પહેલા જ કેબિનેટ વિસ્તરણને લીલી ઝંડી આપી દીધી હતી. શનિવારે પણ કેબિનેટ વિસ્તરણની તૈયારીઓ કરવામાં આવી હતી. મંત્રીઓ માટે પાંચ વાહનો રાજભવનની બહાર પહોંચી ગયા હતા, પરંતુ થોડા સમય બાદ કાર્યક્રમમાં ઉતાવળમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

વિજ નારાજ હોવાનો ઇનકાર
બે દિવસ પહેલા ધારાસભ્ય અનિલ વિજે અંબાલા કેન્ટોનમેન્ટમાં સબ ડિવિઝનલ ઓફિસમાં શહીદ ભગત સિંહની પ્રતિમાના અનાવરણ દરમિયાન મૌન તોડ્યું હતું. તેમણે કહ્યું કે, તે કોઈથી નારાજ નથી. કેબિનેટ વિસ્તરણ વિશે તેમની પાસે કોઈ માહિતી નથી અને કોઈએ તેમનો સંપર્ક પણ કર્યો ન હતો. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે શપથ લીધા બાદથી કોઈએ તેમની સાથે વાત કરી નથી. તેમણે કહ્યું હતું કે તેઓ જે પણ કરી રહ્યા છે તે સારું કરી રહ્યા છે. સારી સરકાર ચલાવશે, અને નાયબ સૈની, જેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, તે અમારા નાના ભાઈ છે, અમને આશા છે કે તેઓ ખૂબ સારું કામ કરશે.