May 4, 2024

રામનવમી પર હિંસા ફાટી નીકળી ત્યાં લોકસભાની ચૂંટણી નહીં થવા દઈએ! : કોલકાતા HC

Lok Sabha Elections 2024: પશ્ચિમ બંગાળમાં રામ નવમી પર ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા પર કોલકત્તા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. મંગળવારે (23 એપ્રિલ, 2024), કોર્ટે ચેતવણી આપી હતી કે તે આ વર્ષે જ્યાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી છે ત્યાં લોકસભા ચૂંટણી 2024 માટે મંજૂરી નહીં આપીએ. જો લોકો શાંતિથી ઉજવણી ન કરી શકે તો ચૂંટણી પંચને અમારી ભલામણ છે કે આવા મતવિસ્તારોમાં ચૂંટણી ન યોજવી જોઈએ.

રામ નવમી દરમિયાન (મુર્શિદાબાદમાં) હિંસા સંબંધિત ઘટનાઓની ન્યાયિક સંજ્ઞાન લીધા બાદ કોલકત્તા હાઈકોર્ટની આ ટિપ્પણીઓ સામે આવી છે. ન્યૂઝ વેબસાઈટ ‘લાઈવ લૉ’ના રિપોર્ટ અનુસાર, સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ટીએસ શિવગનનમે કહ્યું, ‘અમે ચૂંટણી પંચને ભલામણ કરીશું કે જ્યારે લોકો થોડા કલાકો સુધી શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી નથી કરી શકતા, તો પછી તેમને સંસદીય પ્રતિનિધિઓ પસંદ કરવાનો અધિકાર પણ ન આપવો જોઈએ. આવી સ્થિતિમાં ચૂંટણીઓ (ત્યાં) મુલતવી રાખવી જોઈએ.’

હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે કેટલીક નજીવી ઘટનાઓ મોટા ધમાકાનું કારણ બની શકે છે. એવું ન બને કે આ બધી ઘટનાઓનું અગાઉથી આયોજન કરવામાં આવ્યું હોય. તહેવારના દિવસોમાં, કોઇક વ્યક્તિના માથે ચઢી જાય છે અને તે (બીજાને ઉશ્કેરે છે), પરંતુ આ પ્રકારની અસહિષ્ણુતા બંને બાજુથી છે.

બહેરામપુર સંસદીય મતવિસ્તાર પર કલકત્તા હાઈકોર્ટે શું કહ્યું?
આ સમય દરમિયાન, કલકત્તા હાઈકોર્ટે એમ પણ કહ્યું કે તે બહેરામપુર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી સ્થગિત કરવા માટે ચૂંટણી પંચને પ્રસ્તાવ આપશે. હાઈકોર્ટે હિંસાની ઘટનાઓ અંગે રાજ્ય પાસેથી સોગંદનામું માંગીને કેસની સુનાવણી 26 મે સુધી મુલતવી રાખી છે. તેમાં અરજદારોની કબૂલાત પણ નોંધવામાં આવી છે કે બહેરામપુરમાં રામ નવમી પર આ પ્રકારની હિંસા પહેલીવાર થઈ છે.

આ પણ વાંચો: શું માફીનામાની સાઇઝ જાહેરાત જેટલી મોટી હતી? SCએ બાબા રામદેવ પર ઉઠાવ્યા સવાલ

2023માં પણ રામ નવમી પર સાંપ્રદાયિક હિંસા ફેલાઈ હતી
આ વખતે દેશમાં 17 એપ્રિલ, 2024ના રોજ રામ નવમીની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં કેટલીક જગ્યાએ હિંસા ફાટી નીકળી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુર્શિદાબાદમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણની છૂટાછવાયા બનાવો માટે ચૂંટણી પંચ (EC)ને જવાબદાર ઠેરવ્યું હતું. અથડામણમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જો કે, રામ નવમી પર બંગાળમાં વાતાવરણ બગડ્યું હોય તેવું આ પહેલીવાર નથી. ગયા વર્ષે હાવડા અને હુગલીમાં રામ નવમીના શોભાયાત્રામાં હિંસાની બે અલગ-અલગ ઘટનાઓ બની હતી.