May 4, 2024

સમજવા જેવી છે ગુજરાત ટાઈટન્સના કોચની રણનીતિ, ધોની માટે ચેલેન્જ

IPL 2024: ગુજરાત ટાઈટન્સ ટીમના મુખ્ય કોચ આશિષ નહેરાએ આ વખતે ન તો લેપટોપ પોતાની રાખ્યું હતું ન તો પગમાં કોઈ ચપલ પહેર્યા હતા. પણ તેમ છતાં ગુજરાત ટાઈટન્સની ટીમને સતત ગાઈડ કરતા ટીમે ખરા અર્થમાં હરીફ ટીમને હંફાવી દીધી હતી. તેણે સાબિત કર્યું કે ગુજરાત ટાઈટન્સની સાચી તાકાત દિમાગની ગેમ છે, નહીં કે ટીમ છોડનાર હાર્દિક પંડ્યા. નેહરાજીએ બહારથી એવી ચાલ કરી કે મેદાનની અંદર જ ગુજરાત ટાઇટન્સ માટે એક પછી એક જીતના તમામ ટુકડાઓ ગોઠવાઈ ગયા.

જીતનો મંત્ર ખબર હતો
ગુજરાત ટાઈટન્સને જીત અપાવવાની આતુરતા મેદાન પર આશિષ નેહરાના અભિવ્યક્તિઓમાં સ્પષ્ટ દેખાતી હતી. આ વખતે તેમની વ્યૂહરચનાઓમાં કંઈક અલગ જ દેખાઈ રહ્યું હતું, જે થોડી બદલાઈ ગઈ હતી. આ વખતે નેહરાની વ્યૂહરચનાનો વ્યાપ માત્ર ગુજરાત ટાઇટન્સના કેપ્ટન પૂરતો મર્યાદિત ન હતો. પરંતુ દરેક ખેલાડી તેના કેન્દ્રમાં હતો. આ પહેલાથી જ મેદાન પર દેખાઈ રહ્યું હતું, પરંતુ તેની પુષ્ટિ ત્યારે થઈ જ્યારે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યા પછી. ગુજરાત ટાઇટન્સના ખેલાડીએ તેમના વિશે એક મોટી વાત કહી છે.

આ પણ વાંચો: કોહલીએ કહ્યું શ્વાસ તો લેવા દો…રમૂજી વીડિયો વાયરલ

આ પરિબળ પર ધ્યાન ન આપ્યું
ખેલાડી સ્પેન્સર જોન્સને જણાવ્યું કે, આશિષ નેહરાને પહેલાથી જ જીતનો વિશ્વાસ હતો. તેણે મને અને ટીમના દરેક ખેલાડીને શાંત રહેવા કહ્યું. જેનું પરિણામ સૌની સામે છે. સ્પેન્સર જ્હોન્સનના મતે આશિષ નેહરાએ દરેક ખેલાડીમાં જે જીતનો મંત્ર નાખ્યો તેની અસર પણ દેખાઈ રહી હતી. ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સ જેવી મજબૂત ટીમ સામે એવા ગ્રાઉન્ડ પર સ્કોરનો બચાવ કર્યો કે જેના પર આવું કરવું મુશ્કેલ હતું. કારણ કે ઝાકળ એક મોટું પરિબળ છે. જે હરીફ ટીમને ખ્યાલ ન હતો અને હતો તો એ કંઈ કરી શકી ન હતી. હાર્દિક પંડ્યાની વિદાય બાદ કોચ આશિષ નેહરાએ આ ભૂમિકા માટે યોગ્ય વ્યક્તિ ગણાવ્યો હતો.આ વખતે નહેરાની રણનીતિ કેવી રીતે મેચનું પાસુ પલટે છે એ જોવાનું છે. કારણ કે, સામેની ટીમમાં અનુભવી ખેલાડી ધોની છે. જે દરેક ઓવર કે રન પર માઈક્રો સ્કેનિંગ કરીને મેચને જીતની દિશા બાજું હંકારી જાય છે.