કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની વિશાળ રેલી, અભિજિત મુહૂર્તમાં નોમિનેશન ફાઇલ કરશે
પોરબંદરઃ લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામી ગયો છે. ત્યારે આજે ભાજપના ઘણાં ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા માટે જવાના છે. જેને લઈને કાર્યકરોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ભાજપે પોરબંદરથી લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આજે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે જવાના છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સવારથી જ મંદિરનો દર્શને નીકળી ગયા છે. ત્યારે 10 વાગ્યે લોકો સાથે તેમણે મુલાકાત કરી છે. આ ઉપરાંત 11 વાગ્યે વિશાળ રેલીનું પણ આયોજન કર્યું છે. ત્યારબાદ અભિજિત મૂહુર્ત 12.39 મિનિટે તેઓ લોકસભા ચૂંટણી માટે નોમિનેશન ફાઇલ કરવાના છે.
ઉમેદવારી પહેલા MANSUKH MANDAVIYAનું શક્તિ પ્રદર્શન #Mansukhmandaviya #Porbandar #Gujarat #Election2024 #Loksabhaelections2024 #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/1C5WiqZqiw
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) April 15, 2024
તેમના પ્રવાસ પર એક નજર કરીએ…
9.00 – ભોજેશ્વર મંદિર
9.15 – ખારવા સમાજ (પંચાયત મંદિર)
9.30 – કિર્તિ મંદિર
9.45 – હનુમાન મંદિર (સુદામા ચોક)
9.55 – સુદામા મંદિર
10.00 – લોકો સાથે મુલાકાત
11.00 – રેલી
12.39 – નોમિનેશન ફાઇલ કરશે