May 3, 2024

રાજનાથ સિંહે સંદેશખાલી મુદ્દે કહ્યું, ‘પછી જોઈશું કોણે માનું દૂધ પીધું છે…’

Rajnath Singh On Mamata Banerjee: લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર માટે પશ્ચિમ બંગાળ પહોંચેલા ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. રવિવારે (22 એપ્રિલ) મુર્શિદાબાદમાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે સંદેશખાલી હિંસા પર ટીએમસી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના નેતા રાજનાથ સિંહે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં અરાજકતાનું વાતાવરણ છે. પશ્ચિમ બંગાળ તેના ગુનાઓ માટે દેશમાં જાણીતું છે અને સાંપ્રદાયિકતા માટે ચર્ચાઈ રહ્યું છે. તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ ઘણા પ્રશ્નો પૂછ્યા હતા.

આ કારણસર રાજનાથે ભાજપ સરકાર બનાવવાની અપીલ કરી હતી
રાજનાથે કહ્યું, ‘સંદેશખાલી જેવી ઘટનાઓ અહીં મહિલા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બને છે. જ્યારે, ED અને CBI અધિકારીઓ તપાસ માટે અહીં આવે છે, ત્યારે ગુંડાઓ તેમના પર હુમલો કરે છે. સંદેશખાલીની ઘટનાથી સમગ્ર માનવતા શરમમાં મુકાઈ ગઈ છે. ત્યાર બાદ ભાજપના નેતા રાજનાથ સિંહે કહ્યું કે, ‘એકવાર પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નો ઝંડો લહેરાવી દો, પછી અમે જોઇશું કે કોણો માતાનું દૂધ પીધું છે જે સંદેશખાલી જેવી ઘટના ફરી કરવાની હિંમત કરે છે.’

‘મમતા દીદી, તમારા નામમાં મમતા છે તો…’
મમતા બેનર્જીને સવાલ પૂછતા રાજનાથ સિંહે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં તમે જ્યાં સાંભળો ત્યાં કૌભાંડો થાય છે. મમતા દીદી, તમારા નામમાં મમતા છે તો તમને લોકોની પીડા અને વેદના કેમ દેખાતી નથી? ભાજપના વરિષ્ઠ નેતા સિંહે કહ્યું કે અહીં ગુંડાઓ અને બદમાશોનું મનોબળ ઉંચુ છે. નિર્દોષ લોકો ભયભીત છે. તે વિદ્વાનોની ભૂમિ છે, પરંતુ હવે પશ્ચિમ બંગાળ અરાજકતા અને ગુના માટે જાણીતું છે. સંદેશખાલી જેવી ઘટનાઓ અહીં બને છે, તે પણ જ્યારે મહિલા મુખ્યમંત્રી હોય છે. તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી શેખ શાહજહાં હાલમાં કેન્દ્રીય એજન્સીઓની કસ્ટડીમાં છે.