October 5, 2024

LIVE: Jagannath Rath Yatra 2024: પૂરીમાં જગન્નાથ રથયાત્રા શરૂ, રથમાં બિરાજમાન થયા જગન્નાથ

Jagannath Rath Yatra 2024: ઓરિસ્સાના પુરીમાં આજથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ રથયાત્રાનું આયોજન દર વર્ષે અષાઢ માસમાં શુક્લ પક્ષની બીજી તિથિથી કરવામાં આવે છે. ભગવાન જગન્નાથ અષાઢ શુક્લ બીજથી દશમી તિથિ સુધી સામાન્ય લોકોમાં રહે છે. આ સમય દરમિયાન ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથ પર બેસીને ગુંડીચા મંદિર તરફ પ્રયાણ કરે છે. જગન્નાથ રથયાત્રાનો ભવ્ય કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલશે. કહેવાય છે કે માત્ર રથયાત્રાના દર્શન કરવાથી 1000 યજ્ઞોનું પુણ્ય ફળ મળે છે. આવો અમે તમને ઘરે ભગવાન જગન્નાથની પૂજા, મહાપ્રસાદ તેમજ રથયાત્રાનું સંપૂર્ણ શેડ્યૂલ જણાવીએ.

 

  • પુરીના મહારાજાએ ધાર્મિક વિધિના ભાગરૂપે રથને પહિંદ વિધિ કરી હતી. પહિંદ વિધિ બાદ પુરીના ગજપતિ મહારાજા દિવ્યાન્હ દેબ ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેન બલભદ્ર અને દેવી સુભદ્રાના રથને ભક્તો દ્વારા ખેંચવામાં આવે છે.
  • ભગવાન જગન્નાથની બે દિવસીય રથયાત્રા માટે ઓડિશાના પુરીમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે.
  • રાષ્ટ્રપતિ મુર્મુ ભગવાન જગન્નાથના દર્શન કરવા પુરી પહોંચ્યા

  • ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થયા.
  • પવિત્ર રથયાત્રાની શરૂઆત પર શુૂભેચ્છા, મહા પ્રભુ જગન્નાથને નમન કરીએ છીએ કે તેમના આશીર્વાદ આપની પર રહે.
  • PM મોદીએ ટ્વિટર પર રથયાત્રાની પાઠવી શુભેચ્છા
  • રથયાત્રાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા
  • પુરીમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
  • જગન્નાથ રથયાત્રા ટૂંક સમયમાં શરૂ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ હાજરી આપશે
  • રથયાત્રામાં સુરક્ષાને લઇને રેપિડ એક્શન ફોર્સની ત્રણ કંપની, સીઆરપીએફની બે કંપની અને એસઓજી ગ્રુપની આઠ પ્લાટુન દરેક પગલે યાત્રામાં સાથ આપશે.
  • આ ભીડ શોધવામાં,વાહનોની ગણતરી કરવામાં અને યોગ્ય સમયે યોગ્ય માહિતી મેળવવામાં મદદ કરશે.
  • પોલીસ પહેલીવાર એઆઈ કેમેરા અને ડ્રોનનો ઉપયોગ કરી રહી છે.
  • પુરીમાં રથયાત્રાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને એડીજી સંજય કુમારે આપી પ્રતિક્રિયા

શ્રી બલરામ જી તાલ ધ્વજ લઈને રથયાત્રામાં સૌથી આગળ ચાલે છે. બલરામજીની પાછળ માતા સુભદ્રા અને સુદર્શન ચક્ર પદ્મ ધ્વજ લઈને રથ પર છે. અંતે, શ્રી જગન્નાથ જી ગરુણ ધ્વજ પર સૌથી છેલ્લે ચાલે છે. સ્કંદ પુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ રથયાત્રામાં શ્રી જગન્નાથના નામનો જપ કરીને ગુંડીચા નગર જાય છે, તે પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. જે વ્યક્તિ ભગવાનના નામનો જાપ કરીને રથયાત્રામાં ભાગ લે છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ભગવાન જગન્નાથનો મહાપ્રસાદ
ભગવાન જગન્નાથને છ વખત મહાપ્રસાદ ચઢાવવામાં આવે છે. ભોજનમાં સાત પ્રકારના ભાત, ચાર પ્રકારની કઠોળ, નવ પ્રકારની શાકભાજી અને અનેક પ્રકારની મીઠાઈઓ પીરસવામાં આવે છે. મીઠી વાનગીઓ બનાવવા માટે અહીં ખાંડને બદલે સારી ગુણવત્તાનો ગોળ વપરાય છે. મંદિરમાં બટેટા, ટામેટા અને કોબીજનો ઉપયોગ કરવામાં આવતો નથી.

ઘરે ભગવાન જગન્નાથની પૂજા કેવી રીતે કરવી?
જેમના માટે પુરીની રથયાત્રામાં જવું શક્ય નથી તેઓ ઘરે જ ભગવાન જગન્નાથની પૂજા કરી શકે છે. ભગવાન જગન્નાથને પ્રસાદ ચઢાવો અને તેમના મંત્રોનો જાપ કરો. ઘરના પૂજા સ્થાનમાં શ્રી જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની પ્રતિકૃતિઓ સ્થાપિત કરો. તેમને સાત્વિક ભોગ અર્પણ કરો. પ્રસાદમાં તુલસીના પાન અવશ્ય સામેલ કરો. આ પછી શ્રી જગન્નાથજીની સ્તુતિ કરો. અથવા હરિ નામ અથવા મહામંત્રનો જાપ કરો. આ દિવસે ઘરમાં સંપૂર્ણ પવિત્રતા જાળવો.

આ પણ વાંચો: LIVE: RathYatra 2024: જગતના નાથ કરશે નગરચર્યા, જય રણછોડ માખણ ચોરના નાદથી જગન્નાથ મંદિર ગૂંજી ઉઠ્યું

જગન્નાથ રથયાત્રાનો સંભવિત કાર્યક્રમ

રવિવાર, જુલાઈ 7, 2024
ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાને રથમાં બેસાડવામાં આવશે અને તેઓ સિંહદ્વારથી નીકળીને ગુંડીચા મંદિર તરફ આગળ વધશે. દેશના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભાગ લેશે અને ભગવાન જગન્નાથના આશીર્વાદ લેશે.

રથયાત્રાના પ્રથમ દિવસે બપોરના સમયે ત્રણેય દેવી-દેવતાઓને એક પછી એક મંદિરમાંથી બહાર કાઢવામાં આવશે. ત્યારબાદ પુરીના શંકરાચાર્ય રથનું પૂજન કરશે. આ પછી, જગન્નાથ રથયાત્રા સાથે સંબંધિત સૌથી પ્રખ્યાત ધાર્મિક વિધિ ‘ચેરા પહારા’ કરવામાં આવશે. જેમાં ઓરિસ્સાના મહારાજા ગજપતિ સોનાની સાવરણીથી દેવી-દેવતાઓ અને રથની આસપાસ સાફ-સફાઈ કરશે. આ ઝાડુ વડે રથ મંડપની સફાઈ કરવામાં આવશે. ત્યારબાદ રથ માટેનો માર્ગ પણ આ જ ઝાડુથી સાફ કરવામાં આવશે. સાંજે, ભક્તો ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથ ખેંચવાનું શરૂ કરશે.

સોમવાર, 8 જુલાઈ, 2024
8મી જુલાઈના રોજ સવારે ફરી રથને આગળ વધારવામાં આવશે. પુરી મંદિરના એક અધિકારીએ જણાવ્યું કે રથ સોમવારે ગુંડીચા મંદિર પહોંચશે. જો કોઈ કારણસર વિલંબ થશે તો મંગળવારે રથ મંદિરે પહોંચશે.

8-15 જુલાઈ 2024
ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથ ગુંડીચા મંદિરમાં રહેશે. અહીં તેમના માટે અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે અને આજે પણ તેનું સંપૂર્ણ પાલન થાય છે.

16 જુલાઈ 2024
આ દિવસે રથયાત્રા સમાપ્ત થશે અને ત્રણેય દેવી-દેવતાઓ જગન્નાથ મંદિર પરત ફરશે.