September 18, 2024

વિદેશ મંત્રી એસ જયશંકર જર્મનીથી પહોંચ્યા સ્વિટ્ઝરલેન્ડ, મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

S Jaishankar: વિદેશ મંત્રી એસ. જયશંકર જર્મનીની મુલાકાત બાદ સ્વિટ્ઝરલેન્ડ પહોંચી ગયા છે. તેમણે ગુરુવારે મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી. સ્વિત્ઝર્લેન્ડની બે દિવસીય મુલાકાતની શરૂઆત કરી. જયશંકર તેમની ત્રણ દેશોની મુલાકાતના છેલ્લા તબક્કાના ભાગરૂપે જર્મનીથી અહીં પહોંચ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તે સાઉદી અરેબિયા પણ ગયા હતો. તેમણે ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને જીનીવાની મારી મુલાકાતની શરૂઆત કરી.”

ધ્રુવીકરણ અને સંઘર્ષની આ દુનિયામાં, બાપુ (મહાત્મા ગાંધી)નો સંવાદિતા અને શાંતિનો સંદેશ પહેલા કરતાં વધુ પ્રાસંગિક છે.” મોટી સંખ્યામાં સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ઓફિસો જીનીવામાં સ્થિત છે. તેમની મુલાકાત દરમિયાન જયશંકર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ અને પ્રતિનિધિઓને મળશે જેની સાથે ભારત સક્રિય રીતે સંકળાયેલું છે. તેઓ બંને દેશો વચ્ચેની ગાઢ ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટેની તકો શોધવા માટે સ્વિટ્ઝર્લેન્ડના વિદેશ પ્રધાનને પણ મળશે.