May 20, 2024

આ 4 ધાન્યનું કરો દરરોજ સેવન, ઘટી જશે તમારું વજન

અમદાવાદઃ હેલ્થ માટે મોટા અનાજો એટલે કે મિલેટ્સ ખુબ જ જરૂરી છે. મિલેટ્સ એટલે મોટા અનાજો. મિલેટ્સમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન અને મિનરલ્સ ભરપુર માત્રામાં હોય છે. જે લાંબા સમય સુધી તમારા પેટને ભરેલું ભરેલું રાખે છે. જેના કારણે તમે ઓવર ઈટિંગથી બચો છો. વજન ઘટાડવા માટે મિલેટ્સ ખુબ જ ફાયદાકારક છે. વજન ઘટાડવા માટે યોગ્ય ડાયટ કરવી ખુબ જ જરૂરી છે. જો તમે જલ્દીથી વજનને ઘટાડવા માંગો છો તો મિલેટ્સ એક સ્વસ્થ અને પોષણથી ભરપૂર વિકલ્પ છે. કેટલાક લોકો વજન ઘટાડવાના ચક્કરમાં કેટલાક જરૂરી પોષકતત્વોને લેવાનું ભૂલી જાય છે. ત્યારે મિલેટ્સ તમારા શરીરમાં જરૂરી તમામ તત્વોને પુરા પાડે છે.

બાજરી
બાજરીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે તમારું પેટ સાફ રાખે છે અને તમે ધીમે ધીમે વજન ઘટાડી શકો છો. બાજરી પ્રોટીન, ફાઈબર, વિટામિન બી અને આયર્નનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. જો તમે તેને તમારા આહારમાં સામેલ કરો છો, તો તે વજનને નિયંત્રિત કરવામાં ફાયદાકારક રહેશે.

ક્વિનોઆ
ક્વિનોઆ તમારી વજન ઘટાડવાની મુસાફરી માટે એક પરફેક્ટ ફૂડ વિકલ્પ પણ છે. તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ ખાવાથી તમારા શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહેશે. એટલું જ નહીં તે વારંવાર ભૂખ લાગવાની સમસ્યાને દૂર કરે છે.

જવ
જવમાં સારી માત્રામાં ફાઈબર અને વિટામિન હોય છે. જવ પ્રકૃતિમાં પણ ઠંડો છે. તેથી તે આપણા પાચન માટે પણ ફાયદાકારક છે. આહારમાં જવનો સમાવેશ કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

રાગી
રાગી ખાવા માટે ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. મોટાભાગના લોકો ડોસા, રોટલી અને ચીલા બનાવવા માટે રાગીનો ઉપયોગ કરે છે. રાગીમાં કેલ્શિયમ, આયર્ન અને ફાઈબર હોય છે. તે માત્ર ડાયાબિટીસના દર્દીઓ માટે જ ફાયદાકારક નથી, પરંતુ તે વજન ઘટાડવામાં પણ ખૂબ ફાયદાકારક છે.