મહારાષ્ટ્ર: ટ્રેનમાં આગની અફવાથી મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા, 8 લોકોના મોત

Pushpak Express: મહારાષ્ટ્રથી એક મોટા સમાચાર આવ્યા છે, પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ, જેના કારણે ઘણા મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. બીજી બાજુથી આવતી ટ્રેનની ટક્કરથી અનેક લોકોના મોત થયા છે. રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ચેઇન ખેંચાયા પછી પાટા પરથી ઉતરી ગયેલી બીજી ટ્રેનના મુસાફરો પર એક ટ્રેન ચઢી ગઈ હતી, જેમાં ઘણા મુસાફરોના મોત થયા હતા. સામેથી આવતી કર્ણાટક એક્સપ્રેસ નીચે અનેક મુસાફરો કચડાયાં.
સત્તાવાર નિવેદન અનુસાર, અત્યાર સુધીમાં 8 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 30 થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ ટ્રેન રોકાઈ ગઈ હતી અને લોકો બહાર હતા. આગ લાગવાની અફવાઓ વચ્ચે, મુસાફરોએ ટ્રેનમાંથી કૂદી પડ્યા અને આ દરમિયાન, બીજી ટ્રેનની ટક્કરથી 8 મુસાફરોના મોત થયા. રેલવેના વરિષ્ઠ અધિકારીઓ જલગાંવ જવા રવાના થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, આ ટ્રેન લખનઉ શોર્ટ લાઇન થઈને મુંબઈ જાય છે.
महाराष्ट्र के जलगांव में रेल हादसा हुआ है। पुष्पक एक्सप्रेस में आग लगने की अफवाह फैलने से कई लोग चलती ट्रेन से कूद गए। इस दौरान दूसरे ट्रैक से आ रही कर्नाटक एक्सप्रेस ने कई लोगों को कुचल दिया। हादसे में कई लोगों की मौत की खबर है…#pushpakexpress pic.twitter.com/lcL4D3hQXI
— Aman (@amantiwari_) January 22, 2025
પીટીઆઈ અનુસાર, આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. ટ્રેનમાં આગ લાગવાની અફવાને કારણે જલગાંવથી 20 કિમી દૂર પુષ્પક એક્સપ્રેસમાંથી કેટલાક મુસાફરોએ કૂદી પડ્યા હતા. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા છે.
ANIના સમાચાર મુજબ, પુષ્પક એક્સપ્રેસના મુસાફરો સામેથી આવતી કર્ણાટક એક્સપ્રેસ નીચે કચડાયાં હતા. ટ્રેનમાં આગ લાગવાના ડરથી મુસાફરો પોતાના કોચમાંથી કૂદી પડ્યા હતા. રેલવે અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.