May 2, 2024

વિરુષ્કાના ઘરે બંધાયું પારણું, જાણો શું રાખ્યું દીકરાનું નામ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા 20 ફેબ્રુઆરી (મંગળવારે) બીજી વખત માતા બની હતી. તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. પતિ વિરાટ કોહલી સાથે સોશિયલ મીડિયા પર ચાહકોને આ ખુશખબર આપતાં તેણે પુત્રનું નામ પણ જાહેર કર્યું છે. ‘વિરુષ્કા’એ તેના બીજા બાળકનું નામ અકાય રાખ્યું છે. ચાલો જાણીએ આ નામનો અર્થ શું છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સંયુક્ત પોસ્ટ શેર કરી છે. ચાહકોને ખુશખબર આપતા તેણે લખ્યું, ‘ખૂબ ખુશી અને પ્રેમથી ભરેલા હૃદય સાથે, અમને બધાને જણાવતા આનંદ થાય છે કે 15 ફેબ્રુઆરીએ અમે અમારા પુત્ર અકાય અને વામિકાના નાના ભાઈનું આ દુનિયામાં સ્વાગત કર્યું છે. ‘ કહેવાય છે કે અનુષ્કાએ લંડનમાં પુત્રને જન્મ આપ્યો છે. તે છેલ્લા મહિનાથી ત્યાં છે.

વિરાટ-અનુષ્કાના પુત્ર અકાયના નામનો અર્થ શું છે?
માહિતી અનુસાર, અકાય એટલે પૂર્ણ ચંદ્રની નજીક અથવા પૂર્ણ ચંદ્રનો ચમકતો પ્રકાશ. આખો ચંદ્ર. આ તુર્કી ભાષામાંથી ઉતરી આવેલ નામ છે, જેમાં અનુષ્કા અને વિરાટે એક વધારાનો A ઉમેર્યો છે. કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અકાય સંસ્કૃત શબ્દ છે અને તેનો અર્થ નિરાકાર અને આકાંક્ષા છે, જેનો કોઈ આકાર નથી, શરીર નથી. હિંદુ માન્યતા અનુસાર ભગવાન શિવને નિરાકાર માનવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

સારા સમાચાર મળતા જ અનુષ્કા અને વિરાટને અભિનંદન મળવા લાગ્યા. આલિયા ભટ્ટે અનુષ્કાની પોસ્ટ પર લખ્યું, ‘કેટલી સુંદર. અભિનંદન.’ મૌની રોય, રકુલ પ્રીત સિંહ, રણવીર સિંહ, ભૂમિ પેડનેકર, શ્વેતા બચ્ચને ખુશી વ્યક્ત કરી છે. બીજી તરફ, જાણીતા ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ ઉપરાંત યુઝવેન્દ્ર ચહલ, હરભજન સિંહ, કાજલ અગ્રવાલ, કપિલ શર્મા, દિયા મિર્ઝા, સોનમ કપૂર, વિક્રાંત મેસીએ પણ વિરાટ કોહલીની પોસ્ટ પર અભિનંદન પાઠવ્યા છે.