October 28, 2024

નારોલની ગેસ ગળતરની ઘટનામાં પોલીસ ફરિયાદ, સંચાલક સામે સુરક્ષામાં બેદરકારીનો ગુનો દાખલ

અમદાવાદઃ નારોલમાં થયેલી ગેસ ગળતરની ઘટનામાં આખરે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દેવી સિન્થેટિક કંપનીના સંચાલક વિનોદ અગ્રવાલ અને સુપરવાઇઝર મંગલસિંહ રાજપુરોહિત સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ફરિયાદમાં કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા બાબતે બેદરકારી દાખવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદને આધારે તપાસ ચાલુ કરી છે.

મહત્વનું છે કે, રવિવારે ગેસ ગળતરની ઘટના બની હતી, જેમાં બે લોકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.