વિરાટ કોહલીએ કેપ્ટનશીપ કેમ છોડી, પોતે જ કર્યો ખુલાસો

Virat Kohli: વિરાટ કોહલી IPLમાં ભારતીય ક્રિકેટ ટીમનું એક સમયે RCBનું નેતૃત્વ કરતો હતો.. RCBની કપ્તાની સાથે ટીમ ઈન્ડિયાની પણ તે કમાન સંભાળતો હતો. હવે તો તે ટીમ ઈન્ડિયાનો કપ્તાન નથી કે ના RCBનો કેપ્ટન છે. આટલા સમય બાદ ખુદ વિરાટ કોહલીએ જણાવ્યું કે તેણે આખરે કેપ્ટનશીપ કેમ છોડી દીધી.

આ પણ વાંચો: રાત્રે ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરવું થશે 30% મોંઘુ ,જાણો નવો નિયમ

આરસીબી અને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન
વિરાટ કોહલીએ કહ્યું કે તે લગભગ આઠથી દસ વર્ષ સુધી ભારતીય ક્રિકેટ ટીમ અને આરસીબીનો કેપ્ટન રહ્યો હતો. આ સમયે તેના પર કેપ્ટનશીપ અને બેટિંગ પર નજર રાખવામાં આવી રહી હતી. તેણે કહ્યું કે આ બહુ થઈ ગયું હતું. જીવનમાં ખુશ રહેવા માટે તેણે કેપ્ટનશીપ છોડવાનો મોટો નિર્ણય લીધો હતો. કોહલીએ T20 ઇન્ટરનેશનલની કેપ્ટનશીપ છોડી દીધી, તે પછી તેણે IPLમાં RCBની કેપ્ટનશીપ પણ છોડવાનો નિર્ણય લીધો હતો. લગભગ એક વર્ષ પછી, કોહલીએ ટેસ્ટ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ છોડી દીધી હતી.