September 15, 2024

‘તેમના ધારાસભ્ય દુષ્કર્મમાં ફસાય તો તેઓ મૌન કેમ?’, ભાજપ પર વરસ્યા મમતા

West Bengal Anti Rape Bill: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આજે મંગળવારે 3 સપ્ટેમ્બરના રોજ દુષ્કર્મ વિરુદ્ધ એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં દોષિતો માટે મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે. આ દરમિયાન મમતા બેનર્જીએ વિધાનસભામાં કહ્યું, “બળાત્કાર સામે કડક સજા થવી જોઈએ, તે સમાજનું ઝેર છે. જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારે હું મારી કલમથી લખું છું. જ્યારે કોલકાતામાં ઘટના બની ત્યારે પણ મેં મારા શબ્દોને મારી કલમથી કલમબદ્ધ કર્યા હતા.”

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, “43 વર્ષ પહેલા 1981માં આજના દિવસે, યુનાઈટેડ નેશન્સે મહિલાઓના અધિકારોની સુરક્ષા માટે ‘મહિલાઓ સામે તમામ પ્રકારના ભેદભાવ દૂર કરવા માટેના સંમેલન’ માટે એક સમિતિની રચના કરી હતી. હું દરેક નાગરિક સમાજોટી લઈને દરેક વિદ્યાર્થી સુધી તમામને અભિનંદન આપું છું, જેઓ મહિલાઓની સુરક્ષા માટે અવાજ ઉઠાવી રહ્યા છે.”

ફેક ન્યૂઝના સહારે ભાજપ કરી રહ્યું છે હોબાળો
મમતા બેનર્જીએ કહ્યું કે કોર્ટ અમારા હાથમાં નથી, જે લોકો વિપક્ષમાં બેઠા છે તેમના હાથમાં કોર્ટ છે. બંગાળમાં કામદુની મામલે વિપક્ષ જે કંઈ કરી રહ્યો છે તેનો જવાબ આપવાનો અમારો અધિકાર છે. વિપક્ષ કહે છે રેપ કેસની જવાબદારી કોની? હું સમજું છું કે વિપક્ષ જે પણ પેપર્સ લઈને આવ્યા છે તેમાં પણ ખાસ કરીને ન્યૂઝ આર્ટીકલ્સ…. તેમાં ઘણા ફેક ન્યૂઝ પણ છે. હું ઈચ્છું છું કે તેની તપાસ થાય.

ભાજપ પર મમતા બેનર્જીએ કર્યા આકરા પ્રહારો
ભાજપ પર પ્રહાર કરતા મમતા બેનર્જીએ કહ્યું કે જ્યારે તેમના ધારાસભ્યો પર બળાત્કારનો આરોપ છે ત્યારે ભાજપ શા માટે મૌન થઈ જાય છે. આનો જવાબ આપવો પણ જરૂરી છે. ન્યાય તો દૂરની વાત છે, આરોપીઓ દ્વારા બળાત્કારનો ભોગ બનેલી પીડિતાને પણ મારી નાખવામાં આવે છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બદલાપુર, ઉત્તરાખંડ, ઓડિશા અને અન્ય ઘણી જગ્યાએ આવા ઘણા કેસ છે. આ એવા વિસ્તારો છે જ્યાં ગુનેગારોને સજા ન થઈ પરંતુ પીડિતાની હત્યા કરી કાઢવામાં આવી. તમે આને ન્યાય કહો છો. શરમ આવવી જોઈએ તમને આ પ્રકારનો ન્યાય કરીને.

આ પણ વાંચો: છત્તીસગઢમાં નક્સલીઓ સાથે અથડામણ, 9 માઓવાદી ઠાર મરાયા

‘કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે નથી કરતી વાત’
મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે આપણે લોકોને વધુ જાગૃત કરવા પડશે. ખાસ કરીને બળાત્કારના કેસોમાં જાગૃતિ વધારવાની જરૂર છે. આ સમાજ માટે ખૂબ જ નુકસાનકારક છે. રાજા રામ મોહન રોયના એ જ બંગાળમાં આ સસ્તી દાળનો વિરોધ થયો હતો. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે બંગાળમાં બનેલો કાયદો સમગ્ર દેશમાં કાયદા તરીકે પસાર કરવામાં આવ્યો હતો. મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, પરંતુ ત્યાંથી કોઈ જવાબ આવ્યો નથી. જ્યારે ભારતીય ન્યાયિક સંહિતા પસાર થઈ રહી હતી ત્યારે મેં વિરોધ કર્યો હતો. રાજ્યો સાથે ચર્ચા કર્યા વગર જ આ નવા કાયદાઑ પસાર કરી દેવામાં આવ્યા હતા. કારણ કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને રાજ્ય પોલીસ સાથે વાટાઘાટો કરતી નથી, તેથી અમને બંગાળના સન્માન માટે આ બિલ લાવવાની ફરજ પડી છે.