September 15, 2024

આ અભિનેતાએ શાહરૂખના ઘરમાં ગૌરી ખાનને જોઈ કહ્યું હતું,‘તમે SRKના પત્ની છો તો પેલી…’

Entertainment: ‘કરણ-અર્જુન’, ‘કુછ-કુછ હોતા હૈ’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘બાઝીગર’, ‘કભી ખુશી કભી ગમ’ ઉપરાંત શાહરૂખ ખાન અને કાજોલે ઘણી ફિલ્મોમાં પોતાની જોરદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા હતા. ત્યાં જ શાહરૂખ અને કાજોલના કેટલાક ચાહકો એવા છે જેઓ વાસ્તવિક જીવનમાં બંનેને પતિ-પત્ની સમજવાની ભૂલ કરતા હતા. એક ઈન્ટરવ્યુ દરમિયાન વરુણ ધવને એકવાર કબૂલાત કરી હતી કે તેને લાગતું હતું કે શાહરૂખ ખાન અને કાજોલ ખરેખરમાં પરિણીત છે. તેણે એ પણ જણાવ્યું કે મન્નતમાં ગૌરી ખાનને જોઈને તે ચોંકી ગયો હતો.

વરુણ ખરેખરમાં કાજોલ અને શાહરૂખને પતિ-પત્ની માનતો હતો
શાહરૂખ ખાન અને કાજોલ બોલિવૂડના પ્રખ્યાત ઓન-સ્ક્રીન કપલ્સમાંથી એક છે. તે આશ્ચર્યની વાત નથી કે તેમની કેમિસ્ટ્રીએ ઘણા લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા છે કે શું તેઓ અસલ જીવનમાં પરિણીત છે. માત્ર ચાહકો સાથે આવું જ નથી થયું, પરંતુ વરુણ ધવન પણ બાળપણમાં માનતો હતો કે શાહરૂખ-કાજોલ વાસ્તવિક જીવનમાં પણ પરણેલા છે. ખરેખરમાં 2015માં શાહરૂખ ખાન, કાજોલ, વરુણ ધવન અને કૃતિ સેનન ફિલ્મ ‘દિલવાલે’ના પ્રમોશન દરમિયાન રિયાલિટી શો કોમેડી નાઇટ્સ વિથ કપિલમાં ગયા હતા. ત્યારબાદ વાતચીત દરમિયાન કપિલ શર્માએ થિયેટરમાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જોવાની યાદ તાજી કરી અને કહ્યું કે તેની માતાને ખાતરી હતી કે શાહરૂખ અને કાજોલ વાસ્તવિક જીવનમાં પતિ-પત્ની છે. આના જવાબમાં વરુણે પણ પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું, “મને પણ બાળપણમાં આવું લાગ્યું હતું. મને લાગતું હતું કે કાજોલ-શાહરુખ વાસ્તવિક જીવનમાં પતિ-પત્ની છે. સ્વાભાવિક છે કે જ્યાં સુધી હું ગૌરી (ખાન)ને મળ્યો ત્યાં સુધી મને લાગતું કે કાજોલ શાહરૂખ ખાનની પત્ની છે.

આ પણ વાંચો: ફેન્સ માટે ‘ભગવાન’ છે આ અભિનેતા, મૃત ફેન્સના પરિવારનું વર્ષોથી કરે છે ભરણપોષણ

વરુણે મન્નતનો કિસ્સો જણાવ્યો
જ્યારે વરુણ તેના મિત્રો સાથે ચેરિટી માટે પૈસા એકત્રિત કરવા ઘણા સેલેબ્સના ઘરે ગયો હતો. તે દરમિયાન જ્યારે તેણે શાહરૂખ ખાનનું ઘર મન્નત જોયું તો તેને લાગ્યું કે અહીં સારી એવી ચેરિટી મળશે. પછી શું થયું કે તરત જ વરુણે શાહરુખ ખાનના ઘરે મન્નતનો દરવાજો ખટખટાવ્યો, ગૌરી ખાનને ત્યાં જોઈને તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે તે કાજોલને શાહરુખની પત્ની માનતો હતો. વરુણે કહ્યું,”મને તે સમયે કંઈક ખોટું લાગ્યું હતું”.

વરુણની માતાએ ગેરસમજ દૂર કરી
વરુણની વાત સાંભળ્યા બાદ કિંગ ખાને પણ વરુણની નકલ કરી અને કહ્યું કે મન્નતમાં ગૌરીને જોઈને તે સમયે વરુણ શું વિચારતો હશે. છેવટે વરુણે તે સમયે શું વિચાર્યું હશે જેનાથી બધા હસી પડ્યા? શાહરૂખે કહ્યું,”તમે કોણ છો? કાજોલના ઘરે શું કરો છો?” બાદમાં વરુણ ઘરે પાછો ગયો અને તેની માતા સાથે આ વિશે વાત કરી, જેણે તેને કહ્યું કે ગૌરી ખરેખર શાહરૂખની પત્ની છે. કાજોલ માત્ર શાહરૂખની કો-સ્ટાર છે.