વડોદરાના પોર નજીક ગમખ્વાર અકસ્માત, 3 લોકોનાં ઘટનાસ્થળે મોત; 5 ઇજાગ્રસ્ત

વડોદરાઃ જિલ્લામાં અકસ્માતની વણઝાર સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે વડોદરા શહેરમાં નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. ત્યારે વડોદરાના પોર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા છે.
વડોદરા જિલ્લાના પોર નજીક સુરતના પરિવારને અકસ્માત નડ્યો છે. સુરતનો પરિવાર પાવાગઢથી દર્શન કરીને પરત ઘરે ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. અર્ટિગા કાર હાઇવેથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે 3 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે પાંચેય લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.