July 3, 2024

માફિયા અતીકના પુત્રો અલી-ઉમર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ, કાવતરામાં સંડોવણીનો આરોપ

Umesh Pal Murder Case: ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસે ચોથી સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં માફિયા અતીક અહેમદના પુત્રો ઉમર અને અલીને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. હત્યા કેસમાં પોલીસ તપાસ દરમિયાન બંનેની સંડોવણી બહાર આવી હતી. ઘણા આરોપીઓએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે જેલમાં રહેલા અલી અને ઉમરને ઉમેશ પાલ હત્યા કેસની જાણકારી હતી અને તેઓ હત્યાના ગુનેગારોને મળ્યા હતા. આ પછી જ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે પોલીસ આ બંને સામે ચાર્જશીટ દાખલ કરી શકે છે.

નોંધનીય છે કે, ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસે અતીક અહેમદના મોટા પુત્ર ઉમરનું નિવેદન નોંધ્યું હતું. ધુમાનગંજ પોલીસે લખનૌ જેલમાં જઈને તેની પૂછપરછ કરી અને તેનું નિવેદન લીધું. પોલીસે તેના નાના ભાઈ અલીનું નિવેદન પણ લીધું છે, જે નૈની જેલમાં બંધ છે.