July 4, 2024

Jammu-Kashmirના રિયાસીમાં આતંકી હુમલાના ગુનેગારોને છોડવામાં નહીં આવે: Amit Shah

Jammu kashmir: જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે સાંજે આતંકવાદીઓએ ઉત્તર પ્રદેશથી શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે બસ ખીણમાં પડી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ મહિલાઓ સહિત નવ લોકોના મોત થયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં શ્રદ્ધાળુઓ પર કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં. રવિવારે બીજી વખત કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા બાદ તરત જ શાહે કહ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને પોલીસ મહાનિર્દેશક આર.આર. સ્વૈન સાથે વાત કરી પરિસ્થિતિ વિશે માહિતી મેળવી.

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે સાંજે આતંકવાદીઓએ ઉત્તર પ્રદેશથી શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે બસ ખીણમાં પડી ગઈ હતી. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા. અમિત શાહે એક પોસ્ટમાં કહ્યું કે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં તીર્થયાત્રાએ જતી બસ પર આતંકી હુમલો

અમિત શાહે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું, “ભગવાન મૃતકોના પરિવારોને આ સહન કરવાની શક્તિ આપે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરું છું.” કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે રવિવારે જમ્મુ-કાશ્મીરના રિયાસી વિસ્તારમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર થયેલા આતંકવાદી હુમલાને ‘અત્યંત નિંદનીય’ ગણાવ્યો હતો.

રાજનાથ સિંહે ‘X’ પર કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર હુમલો અત્યંત નિંદનીય છે. શ્રદ્ધાળુઓ વિરુદ્ધના આ ઘૃણાસ્પદ કૃત્યમાં તેમના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો સાથે મારી સંવેદના છે. “હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”