News 360
Breaking News

પાકિસ્તાનના નેતાએ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો, કહી આ વાત

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધનથી દેશભરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશની સાથે વિદેશમાં પણ તેમના નિધનથી શોક જોવા મળી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પર પાકિસ્તાનના નેતા ચૌધરી ફવાદ હુસૈને કહ્યું કે આજે ભારતમાં જે આર્થિક સ્થિરતા છે તે મોટાભાગે તેમની દૂરંદેશી નીતિઓને કારણે છે.

આ પણ વાંચો: મનમોહન સિંહે વડાપ્રધાન તરીકે છેલ્લી વખત મીડિયાને શું કહ્યું હતું?

આર્થિક સ્થિરતા ભોગવે ભારત
પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાન ચૌધરી ફવાદ હુસૈને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે, એ દુઃખદ છે કે ડૉ.મનમોહન સિંહ અમને છોડીને ચાલ્યા ગયા. ભારત આજે જે આર્થિક સ્થિરતા ભોગવે છે તે મોટાભાગે તેમની દૂરંદેશી નીતિઓને કારણે છે.