September 24, 2024

દાહોદની હચમચાવનારી કહાણીને લઈ બાળકીની માતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Dahod: શિક્ષણ જગત માટે કલંકરૂપ ઘટના સામે આવી છે. 6 વર્ષની વિદ્યાર્થિનીની આચાર્યએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થયા બાદ અનેક ખુલાસા થયા છે. દાહોદ જિલ્લાના તોરણી તાલુકાની પ્રાથમિક શાળાની ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી મુક્યું છે. 6 વર્ષની વિદ્યાર્થિનીની હત્યા કરનાર આચાર્ય ગોવિંદ નટને કોર્ટમાં રજુ કર્યો હતો. પોલીસે કોર્ટમાં રજુ કરતા આરોપીના 14 દિવસના રીમાન્ડની માંગણી કરી છે.

મળતી માહિતી અનુસાર દાહોદમાં 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરનારા આચાર્યની પોલીસે ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજુ કર્યો હતો. પોલીસે કોર્ટમાં રજુ કરતા આરોપીના 14 દિવસના રીમાન્ડની માંગણી કરી છે. કોર્ટે આરોપીના 27 તારીખ સુધીના રીમાન્ડ આપ્યા છે. જ્યારે આરોપી તરફે વકીલ હાજર ન હોવાથી આરોપી ગોવિંદ નટ દ્વારા પોતાની રજુઆત કરવામા આવી હતી. તેમજ આરોપીએ કોર્ટમાં જજ સાહેબને કહ્યુ પોલીસે તપાસ કરી તે સાચી હશે.

ન્યૂઝ કેપિટલની ટીમ દ્નારા તમામ ઘટના અંગે માહિતી મેળવવામાં આવી હતી. આખી ટીમ એ શાળાએ પહોંચી હતી અને જ્યાં આ જધન્ય કૃત્ય આચરવામાં આવ્યું હતું. જે ક્લાસની બહાર નાનકડી દીકરીના ચંપલ અને સ્કુલ બેગ મૂકી દીધા હતા. ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં શિક્ષણ આલમને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા ધોરણ એક માં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી જોડે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બાળકીનું મો દબાવી હત્યા કરી નાખી હતી. અને બાદમાં પોલીસ જોડે તપાસમાં જોડાઈ ગયો હતો પરંતુ પોલીસે ટેકનિકલ સોર્સના મદદથી ગુના નો ભેદ ઉકેલી આચાર્યની ધરપકડ લીધી છે. ગત તારીખ 19.09.2024 ના રોજ સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી છ વર્ષની બાળકીનું મૃતદેહ મળી આવતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાની ગંભીરતા જોતા દાહોદ sp ડો. રાજદીપસિંહ ઝાલા, LCB, SOG, સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકીનું પેનલ પીએમ કર્યા બાદ તેનું શ્વાસ રૂંધવાથી મોત થયું હોવાની પુષ્ટિ થતાં પોલીસની તપાસ આગળ વધી હતી.અને 72 કલાકની ઇન્વેસ્ટિગેશન બાદ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી 6 વર્ષની બાળકીની હત્યાના સંદર્ભમાં આચાર્ય ગોવિંદ નટને જેલભેગો કરી આગળની તપાસ હાથ ધરી હતી. .

નોંધનીય છે કે દાહોદના આ આચાર્યે કાળા કાંચની ગાડીમાં કૃત્ય આચર્યું, બાળકી શાળાએ જવા તેની મમ્મી જોડે ઉભી હતી. તે અરસામાં આ બાળકીને પોતાની કાળા કાચની ગાડીમાં બેસાડી થોડી દુર લઈ ગયા બાદ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન બાળકી એ બુમાબૂમ કરતા તેનું મોઢું દબાવી હત્યા કરી દીધી હતી અને ગાડી બંધ કરી શાળાના કામકાજમાં જોડાયો. સાંજે શાળા છૂટ્યા પહેલા ગાડીના કાચ ખોલ્યા જેથી બાળકી ગાડીમાં જોવાય અને શ્વાસ રૂંધવાથીથી તેનું મોત થયું હોય તેવું પ્રસ્થાપિત કરી શકાય.પરંતુ કોઈની નજર પડતા આખરે પોલીસથી બચવા માટે સાંજના છ વાગ્યાના અરસામાં બાળકીના મૃતદેહને શાળા પરિસરમાં ફેકી. તેના ચંપલ અને સ્કુલ બેગ શાળામાં મૂકી દીધા હતા. સ્કૂલના બાળકોનું નિવેદન અને પોલીસની ટેકનીક આરોપી સુધી ખેંચી ગઈ. ઘટના બાદ SP ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ દસ અલગ અલગ ટીમોએ તપાસની દોર લંબાવ્યો અને બીજા દિવસે સોશિયલ વર્કર, સિવિલ ડ્રેસમાં તેમજ શૈક્ષણિક સંસ્થાના કાર્યકર્તા બનીને બાળકો જોડે હળી મળીને તપાસ હાથ ધરી જેમાં બહાર આવ્યું કે બાળકી પ્રાર્થનાના સમયમાં મધ્યાન ભોજનના સમયમાં અથવા શૈક્ષણિક કાર્ય દરમિયાન ગેરહાજર હતી.

ત્યારબાદ પોલીસે ટેકનિકલ સોર્સના મદદથી google ટાઇમ લાઇનની મદદથી બાળકીને ગાડીમાં બેસાડ્યા બાદ તેના મતદેહ શાળા કમ્પાઉન્ડમાં મુકવાના સમયમાં google ટાઇમ લાઇનમાં આરોપી આચાર્ય ગોવિંદ નટની હાજરીએ ઘણું બધું સ્પષ્ટતા કરી દીધી હતી. આરોપી આચાર્યે ગાડીમાં પુરાવાના નાશ માટે ગોધરા ધોવડાવવા મોકલી. બાઈક પર બેસી સ્કુલમાં આવી પોલીસ સાથે તપાસમાં જોડાયો. ઉપરોક્ત આચાર્ય દ્વારા દુષ્કર્મના પ્રયાસ દરમિયાન બાળકીનું મોં દબાવી દેતા ગભરાટમાં બાળકીએ વોમિટ પણ કરી હતી, તેમજ માથાના વાળ ગાડીમાં રહી જતા ઘટનાને અંજામ આપ્યા બાદ પુરાવાના નાશ માટે ગાડીને તેના પુત્ર પાસે ગોધરા ધોવડાવવા મોકલી દીધી હતી અને એક વિદ્યાર્થી સાથે બાઈક પર બેસી શાળા ખાતે પહોંચ્યો હતો અને આચાર્ય હોવાના નાતે પોલીસ તપાસમાં હોવાથી પોલીસ સાથે જોડાયો હતો. જેમાં સંતરોડ ટોલ ખાતે સીસીટીવી કેમેરામાં ચકાસણી કર્તા ગાડી ગોધરા ગઈ હોવાની પુષ્ટિ થઈ હતી.

આ પણ વાંચો: કોણ છે રિયા સિંઘા, જેણે જીત્યો મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ