News 360
Breaking News

‘વક્ફનો ઇતિહાસ કેટલીક હદીસો સાથે જોડાયેલો જોવા મળે છે’, અમિત શાહે લોકસભામાં કહી મોટી વાત

Waqf Amendment Bill: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં વિપક્ષ પર આરોપ લગાવ્યો કે, તેઓ વકફ અંગેના પ્રસ્તાવિત કાયદાને ન સ્વીકારવાની ધમકી આપી રહ્યા છે, પરંતુ તે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ કાયદો હશે અને તેને દરેકે સ્વીકારવો પડશે. શાહે લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન ‘વક્ફ’ શબ્દનો અર્થ અને તેના ઇતિહાસ પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે વકફનો ઇતિહાસ કેટલીક હદીસો સાથે જોડાયેલો છે અને તેનો અર્થ ‘અલ્લાહના નામે મિલકતનું દાન, પવિત્ર ધાર્મિક હેતુઓ માટે મિલકતનું દાન’ છે.

‘તેનો અર્થ થાય છે અલ્લાહના નામે મિલકતનું દાન’
અમિત શાહે કહ્યું, ‘વક્ફ એક અરબી શબ્દ છે. વકફનો ઇતિહાસ કેટલીક હદીસો સાથે જોડાયેલો છે અને આજે જે અર્થમાં વકફનો ઉપયોગ થાય છે, તેનો અર્થ અલ્લાહના નામે મિલકતનું દાન, પવિત્ર ધાર્મિક હેતુઓ માટે મિલકતનું દાન થાય છે. વકફનો સમકાલીન અર્થ ઇસ્લામના બીજા ખલીફા ઉમરના સમયમાં અસ્તિત્વમાં આવ્યો. એક રીતે, જો આપણે તેને આજની ભાષામાં સમજાવીએ તો, વકફ એ એક પ્રકારનો ચેરીટેબલ એનરોલમેન્ટ છે. જ્યાં કોઈ વ્યક્તિ ધાર્મિક અને સામાજિક કલ્યાણ માટે મિલકત, જમીનનું દાન કરે છે, તેને પાછી લેવાના ઈરાદા વિના.

‘દાન ફક્ત એનું જ કરી શકાય જે આપણું છે’
શાહે કહ્યું, ‘આમાં દાન કરનાર વ્યક્તિનું ખૂબ મહત્વ છે. દાન ફક્ત તે જ આપી શકાય જે આપણી છે, સરકારી મિલકતનું દાન હું ન કરી શકુ, હું બીજા કોઈની મિલકતનું દાન ન કરી શકું. તેમણે કહ્યું કે જો 2013માં વકફ એક્ટમાં જે સંસાધનો લાવવામાં આવ્યા હતા તે બનાવ્યા ન હોત તો આ સુધારા બિલ લાવવાની જરૂર ન પડી હોત. મોદી સરકાર પર લોકોને ડરાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જ્યારે સત્ય એ છે કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો વોટ બેંક માટે લોકોને ડરાવી રહ્યા છે. તેમણે કહ્યું, ‘કોઈપણ સમુદાયના લોકોએ ડરવાની જરૂર નથી.’