October 3, 2024

રણજી ટ્રોફી માટે વિરાટ અને પંતનું નામ કેમ ન કરાયું સામેલ?

Rishabh Pant and Virat Kohli: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ સિરીઝ બાદ T20I સિરીઝનું આયોજન કરવામાં આવશે. આ સિરીઝ વચ્ચે એક પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ રમાવાની છે. જેના માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.

તમામ ટીમોએ તૈયારીઓ કરી લીધી
ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે T20I સિરીઝમાં બાંગ્લાદેશનો સામનો કરવા માટે તૈયાર છે. ગ્વાલિયરમાં 6 ઓક્ટોબરથી 3 મેચની T20Iની સિરીઝ શરૂ થવાની છે. બીજી મેચ 9 ઓક્ટોબરે દિલ્હીમાં રમાવાની છે. આ પછી સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 12 ઓક્ટોબરના હૈદરાબાદમાં રમાવાની છે. રણજી ટ્રોફી 11મી ઓક્ટોબરથી શરૂ થશે. આ માટે તમામ ટીમોએ ખાસ તૈયારીઓ કરી લીધી છે. દિલ્હીની ટીમ પણ 11 ઓક્ટોબરથી છત્તીસગઢ સામેની મેચની શરૂઆત કરશે. દિલ્હીનો મુકાબલો બીજી મેચમાં તામિલનાડુની સામે થશે. આ બંને મેચ માટે દિલ્હીએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. રણજી ટ્રોફીની શરૂઆત સાથે જ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ડોમેસ્ટિક ટેસ્ટ સિરીઝમાં વ્યસ્ત થઈ જશે. આવી સ્થિતિમાં કોહલી અને પંતને દિલ્હીની 18 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

કોહલી અને પંતનું નામ નથી
દિલ્હીએ અગાઉ રણજી ટ્રોફી માટે 84 સભ્યોની ખેલાડીઓની જાહેરાત કરી છે. જેમાં વિરાટ અને પંતનું નામ સામેલ છે. હવે જાહેર કરાયેલા 18 ખેલાડીઓની યાદીમાં કોહલી અને પંતનું નામ નથી. દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનએ આ જાણકારી આપી હતી.

પ્રથમ 2 મેચો માટે દિલ્હીની ટીમ
સનત સાંગવાન, ધ્રુવ કૌશિક, યશ ધૂલ, જોન્ટી સિદ્ધુ, મયંક રાવત, હિમ્મત સિંહ (કેપ્ટન), આયુષ બદોની, અનુજ રાવત, ક્ષિતિજ શર્મા, પ્રણવ રાજુવંશી (વિકેટમેન), સુમિત માથુર , નવદીપ સૈની, હિમાંશુ ચૌહાણ, સિમરજીત સિંહ, દિવિજ મેહરા, હૃતિક શૌકીન, હર્ષ ત્યાગી, મણિ ગ્રેવાલ, શિવાંક વશિષ્ઠ.