તહવ્વુર રાણાએ પહેલા પેન-કાગળ-કુરાન માંગ્યું, હવે નોન-વેજ અને પરિવાર સાથે વાત કરવાની કરી માગ

Tahawwur Rana Demand: NIA મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની સતત પૂછપરછ કરી રહી છે. દરમિયાન સૂત્રોને ટાંકીને, ન્યૂઝ રિપોર્ટ અનુસાર, તહવ્વુર રાણા તેના પરિવાર વિશે ચિંતિત છે. 26/11ના આતંકવાદી હુમલાના માસ્ટમાઇન્ડ હવે તેના પરિવાર સાથે વાત કરવા માંગે છે.
તાજેતરમાં માહિતી સામે આવી હતી કે તહવ્વુર રાણાએ NIA અધિકારીઓ પાસેથી પેન, કાગળ અને કુરાનની માંગણી કરી હતી. તેમની આ માંગણી પૂર્ણ થઈ. હવે રાણા તપાસ એજન્સીને તેના ભાઈ સાથે વાત કરાવવાની પ્રક્રિયા વિશે પૂછી રહ્યો છે. આ સાથે તહવ્વુર રાણાએ તપાસ એજન્સી પાસે નોન-વેજ એટલે કે માંસાહારી ફૂડની પણ માંગ કરી છે. જોકે રાણાને નિયત નિયમોના આધારે જ ભોજન આપવામાં આવી રહ્યું છે. NIA દ્વારા કહેવામાં આવ્યું છે કે કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન તહવ્વુર રાણા તપાસ એજન્સીને સહકાર આપી રહ્યા નથી. એટલું જ નહીં તહવ્વુર રાણા 26/11ના આતંકવાદી હુમલામાં પોતાની ભૂમિકાનો પણ ઇનકાર કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન તહવ્વુર રાણાએ ડેવિડ કોલમેન હેડલીને મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો છે. તહવ્વુર રાણાએ તપાસ એજન્સીને કહ્યું છે કે મુંબઈ આતંકવાદી હુમલામાં તેની કોઈ ભૂમિકા નથી. તહવ્વુર રાણા NIA દ્વારા સમયાંતરે તેમનું મેડિકલ કરાવે છે અને તેમની તબિયત સારી છે. તપાસ એજન્સી તહવ્વુર રાણાને 26/11ના આતંકવાદી હુમલામાં મળેલા પુરાવા બતાવીને પૂછપરછ કરી રહી છે. જોકે, તે તપાસ એજન્સીને સહકાર આપી રહ્યો નથી.