July 4, 2024

આસામમાં પૂરથી ખરાબ હાલત, ચીની સીમા વિસ્તારો સંપર્કવિહોણા

Flood In Assam: આસામમાં પૂરની સ્થિતિ વણસી રહી છે અને કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં સ્થિત 233 ફોરેસ્ટ કેમ્પમાંથી 26 ટકાથી વધુ પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ડૂબી ગયા છે. ભારત-ચીન બોર્ડર પર ઘણા વિસ્તારોમાંથી રોડ કનેક્ટિવિટી કપાઈ ગઈ છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, પૂર પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 12 થી વધીને 19 થઈ ગઈ છે. ઈટાનગરમાં ભારે વરસાદને કારણે શાળાઓને 2 થી 6 જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પૂર્વ કામેંગ જિલ્લામાં કુરુંગ નદી પરનો પુલ પૂરમાં ધોવાઈ ગયો હતો. આ ઉપરાંત અનેક ઘરો પણ પૂરની ઝપેટમાં આવી ગયા છે. આસામમાં લગભગ 8 હજાર લોકોએ રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો છે. તિનસુકિયા જિલ્લામાં સૌથી વધુ 35 લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર કાઝીરંગા વન્યજીવ અભયારણ્યનો મોટો ભાગ ડૂબી ગયો છે અને મોટી સંખ્યામાં પ્રાણીઓ ઉંચી જમીનની શોધમાં પૂર્વ કાર્બી આંગલોંગ જિલ્લાના દક્ષિણ ભાગ તરફ નેશનલ હાઈવે નંબર 715 પાર કરી રહ્યા છે. જો કે, પૂરમાં અથવા રસ્તો ક્રોસ કરતી વખતે કોઈ પ્રાણીના મૃત્યુ થયાના કોઈ અહેવાલ નથી.

પૂર પર તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં સ્થાપિત 61 ફોરેસ્ટ કેમ્પ ડૂબી ગયા છે. ડૂબી ગયેલા વન શિબિરોમાં અગોરાટોલી રેન્જમાં 22, કાઝીરંગામાં 10, બાગોરીમાં આઠ, બુધાપહારમાં પાંચ અને બોકાખાટમાં છનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, આ સિવાય નેશનલ પાર્કના વિશ્વનાથ વાઈલ્ડલાઈફ બ્લોકમાં સ્થાપિત 10 ફોરેસ્ટ કેમ્પ પણ ડૂબી ગયા છે.

ગોલાઘાટ જિલ્લા પ્રશાસને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 715 પાર કરતા પ્રાણીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રવિવારે સાંજે ભારતીય દંડ પ્રક્રિયા સંહિતાની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે. આ હાઇવે કાઝીરંગા નેશનલ પાર્કમાંથી પસાર થાય છે. ગોલાઘાટ જિલ્લા મેજિસ્ટ્રેટ વિવેક શ્યામ પંગ્યોકે કહ્યું કે હાઈવે પર ટ્રાફિકનું ભારે દબાણ છે. તેમણે કહ્યું, “પૂર દરમિયાન હાઈવે પર વાહનો વન્યજીવન માટે અયોગ્ય જોખમ ઊભું કરી શકે છે.

આ પણ વાંચો: યુવકને તાલિબાની સજા, રોડ પર ઢસડી ચાર રસ્તે લઈ જઈ લાકડી-દંડાથી માર્યો!

તેમણે કહ્યું કે પ્રાણીઓ કાર્બી આંગલોંગ ઓટોનોમસ કાઉન્સિલ હેઠળ આવતા પ્રાકૃતિક ઉચ્ચ પ્રદેશો (પહાડો) પર આશ્રય માટે અસ્થાયી રૂપે સ્થળાંતર કરવા માટે કોરિડોરનો ઉપયોગ કરે છે. સોમવારથી અમલમાં આવતા પ્રતિબંધક આદેશ અનુસાર, કાઝીરંગા નેશનલ પાર્કમાંથી કોઈ પણ કોમર્શિયલ વાહનને પસાર થવા દેવામાં આવશે નહીં અને દિવસ દરમિયાન માત્ર ખાનગી વાહનો જ નિયંત્રિત ગતિએ આગળ વધી શકશે. રાત્રે રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી માત્ર સ્થાનિક ખાનગી વાહનોને જ પસાર થવા દેવામાં આવશે.

મુખ્ય પ્રધાન હિમંતા વિશ્વ શર્માએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આસામમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી અને સંકટનો સામનો કરવા માટે શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. અહીં પત્રકારોને સંબોધતા શર્માએ કહ્યું કે બ્રહ્મપુત્રા અને તેની તમામ ઉપનદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. તેમણે કહ્યું કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી બે-ત્રણ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે.

આસામના મુખ્યમંત્રીએ કહ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મને ફોન કર્યો છે અને પરિસ્થિતિનો સામનો કરવા માટે શક્ય તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.’ તેમણે કહ્યું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સેના કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેશે. શર્માએ કહ્યું, “તમામ મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.” અધિકારીઓએ જણાવ્યું હતું કે બ્રહ્મપુત્રા અને બરાક ખીણ સહિત 14 જિલ્લાઓમાં કુલ 2,70,628 લોકો પૂરની પરિસ્થિતિ સામે લડી રહ્યા છે.