February 25, 2025

મહાશિવરાત્રીના પર્વ પર બનાવો શક્કરિયાનો શીરો, નહીં તૂટે એકટાણું કે ઉપવાસ

Mahashivratri 2025: શિવરાત્રિના દિવસે મોટા ભાગના લોકો ઉપવાસ રાખતા હોય છે. ત્યારે અમે તમારા માટે ઈઝી રીતે શક્કરિયાના શિરાની રેસીપી લઈને આવ્યા છે. આવો જાણીએ આ મહાશિવરાત્રિના કેવી રીતે બનાવશે શક્કરિયાનો શિરો.

શક્કરિયાના શીરો બનાવવા માટેની સામગ્રી

  • ખાંડ – 100 ગ્રામ
  • દેશી ઘી – 100 ગ્રામ
  • એલચી પાવડર – 1 ચમચી
  • કેસર – 5
  • કાજુ – 10
  • બદામ – 10
  • પિસ્તા – 10
  • દૂધ – 1/2 કપ
  • શક્કરિયા- 250 ગ્રામ

શક્કરિયાનો શીરો બનાવવાની રીત
શક્કરિયાને સારી રીતે બાફી લો. આ પછી તમારે હવે તેની છાલ કાઢી લેવાની રહેશે. આ પછી તમારે શક્કરિયાને મેશ કરી લેવાના રહેશે. આ પછી તમારે કડાઈમાં ઘી લેવાનું રહેશે. આ પછી તમારે તેમાં મેશ કરેલા શક્કરિયા ઉમેરવાના રહેશે. તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. હવે એક પેનમાં દૂધ લો આ પછી તેને ગરમ થવા દો. આ પછી તમારે તેમાં ખાંડ નાંખવાની રહેશે. આ પછી એલચી પાવડર નાંખવાનો રહેશે. હવે તમારે તેમાં બદામ, પિસ્તા, કાજુ નાંખવાના રહેશે. તો તૈયાર છે શક્કરિયાનો શીરો.