September 20, 2024

સંજય રાઉતે આપ્યું વિવાદાસ્પદ નિવેદન – PM મોદીનું મગજ સડેલું છે

Sanjay Raut on PM Modi: હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા શિવસેના UBT નેતા સંજય રાઉત ફરી એકવાર સમાચારમાં છે. તેમણે વડાપ્રધાનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેમનું માનસિક સંતુલન સારું નથી. આ સિવાય તેમણે ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ પણ લગાવ્યો હતો.

પીએમ મોદીને લઈને આપવામાં આવ્યું વિવાદાસ્પદ નિવેદન
પીએમ મોદી પર નિશાન સાધતા શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે શું બોલશે તે ખબર નથી. તેમનું માનસિક સંતુલન જાણી શકાતું નથી. તેમનું મગજ સડેલું છે. જો ઝારખંડમાં કોઈ યોજના ખોટી હોય તો મહારાષ્ટ્રમાં તે કેવી રીતે યોગ્ય છે?

ચૂંટણીના આક્ષેપો પર પણ સવાલો ઉઠ્યા
ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવતા તેમણે કહ્યું કે, “ચૂંટણી પંચ હવે આ દેશમાં સ્વતંત્ર નથી રહ્યું. ચૂંટણી પંચ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કહેવા પર જ ચૂંટણીની જાહેરાત કરે છે. રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીઓ થઈ રહી નથી. કારણ કે ચૂંટણી પંચ જાણે છે કે ભાજપ હારશે.

આ પણ વાંચો: ‘કમાલ છે… કોઈ કમલા હેરિસ અને બાઈડનની હત્યાની કોશિશ કેમ નથી કરી રહ્યા…?’ : એલન મસ્ક

મુખ્યમંત્રી એકનાથ શિદે પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, “શું મુખ્યમંત્રી ચૂંટણી વિશે વાત કરશે? તેઓ માત્ર તારીખ જ આપી રહ્યા છે. ચૂંટણી પંચે જણાવવું જોઈએ કે ચૂંટણી ક્યારે થશે, તે એકનાથ શિદેને કહી રહ્યા છે. નવેમ્બરમાં ચૂંટણીની જાણકારી શું તેમના દિલ્હીના માલિકે આપી છે? જ્યાં સુધી દિલ્હીના બન્ને માલિકો નહીં ઈચ્છે ત્યાં સુધી ચૂંટણી પંચ મહારાષ્ટ્રમાં ચૂંટણી નહીં કરાવે, જો એકનાથ શિંદે કહી રહ્યા છે કે નવેમ્બરમાં ચૂંટણી થસે તો અમે પણ કહીએ છીએ કે અમારી જીત નિશ્ચિત છે. લોકસભાની ચૂંટણીમાં પણ આવું જ થયું, વિધાનસભાની ચૂંટણીમાં પણ એવું જ થશે.