April 27, 2024

કોઇ બાંધછોડ નહીં કરીએ… LAC પર ચીનને ભારતનો સ્પષ્ટ જવાબ

મલેશિયા: વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર ચીનનો અસલી ચહેરો દુનિયાની સામે લાવી દીધો છે. તેમણે મલેશિયામાં ચીનને આડેહાથ લીધું છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ચીન ભારત સાથે લાંબા સમયથી લેખિત કરારો જાળવવામાં નિષ્ફળ રહ્યું છે.

આ બાબતે ક્યારેય બાંધછોડ ન કરી શકાય..
જયશંકરે કહ્યું કે ચીન સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં સામાન્ય સ્થિતિ માત્ર સૈનિકોની પરંપરાગત તૈનાતીના આધારે જ હાંસલ કરી શકાય છે અને બેઇજિંગ સાથેના સંબંધોને આગળ વધારવા માટે આ પૂર્વ શરત હશે. મલેશિયાની રાજધાનીમાં ભારતીય પ્રવાસીઓ સાથેની વાતચીત દરમિયાન ચીન સાથેના ભારતના સંબંધોની વર્તમાન સ્થિતિ અંગેના પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું કે, ‘ભારતીય પ્રત્યે મારી પ્રથમ ફરજ સરહદની રક્ષા કરવી છે અને હું આ બાબતે ક્યારેય બાંધછોડ કરીશ નહીં.

તેમણે કહ્યું કે દરેક દેશ તેના પડોશીઓ સાથે સારા સંબંધો ઈચ્છે છે. તે કોને નથી જોઈતું? પરંતુ દરેક સંબંધ કોઈને કોઈ આધાર પર સ્થાપિત થવો જોઈએ.જયશંકરે કહ્યું, ‘અમે હજી પણ ચીન સાથે વાતચીત કરી રહ્યા છીએ. હું મારા સમકક્ષ સાથે વાત કરું છું. અમે સમયાંતરે મળતા રહીએ છીએ. અમારા લશ્કરી કમાન્ડરો એકબીજા સાથે વાત કરે છે. પરંતુ અમારી સ્થિતિ ખૂબ જ સ્પષ્ટ છે કે અમારી વચ્ચે સમજૂતી થઈ હતી. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) છે. તે લાઇનમાં સૈનિકો ન લાવવાની અમારી પરંપરા છે. અમારા બંનેના લશ્કરી થાણા અમુક અંતરે આવેલા છે, જે અમારું પરંપરાગત તૈનાતીની છે અને અમે તે સામાન્ય સ્થિતિ ઇચ્છીએ છીએ.

આ પણ વાંચો: પૈસા ન હોવાના કારણે ચૂંટણી લડવાથી કર્યો ઇનકાર, જાણો કેટલી છે નિર્મલા સીતારમણની નેટવર્થ?

સરહદ વિવાદ પર ચર્ચા કરશે
તેમણે કહ્યું કે સરહદ પર સેનાની તૈનાતીના સંદર્ભમાં સામાન્ય સ્થિતિ ચીન સાથેના સંબંધોને આગળ વધારવાનો આધાર બનશે. તેમણે કહ્યું કે ચીનના મામલામાં બંને પક્ષો વચ્ચે સરહદ વિવાદ હોવા સહિત અનેક કારણોસર સંબંધો મુશ્કેલ બન્યા છે. જયશંકરે કહ્યું, ‘પરંતુ ઘણા વર્ષોથી સરહદ વિવાદ હોવા છતાં, અમે વાસ્તવમાં મહત્વપૂર્ણ સંબંધો બનાવ્યા કારણ કે અમે સંમત થયા હતા કે જ્યારે અમે સરહદ વિવાદ પર વાટાઘાટો કરીએ છીએ, ત્યારે અમે બંને સંમત થઈશું કે અમે મોટી સંખ્યામાં સરહદ પર સૈનિકો તૈનાત કરીશું નહીં તેમજ હિંસા અને લોહીલુહાણ હોય તેવી સ્થિતિ આપણી પાસે ક્યારેય નહીં હોય.

2020માં સરહદી કરારો તોડવામાં આવ્યા હતા
તેમણે કહ્યું કે આ સર્વસંમતિ 1980 ના દાયકાના અંતમાં શરૂ થઈ હતી અને તે ઘણા કરારોમાં પ્રતિબિંબિત થાય છે. તેમણે કહ્યું, ‘હવે કમનસીબે, 2020માં સરહદી સમજૂતીઓ તોડી નાખવામાં આવી હતી. જેના કારણો હજુ પણ અમને સ્પષ્ટ નથી. ખરેખરમાં સરહદ પર હિંસા અને રક્તપાત થયો હતો. જૂન 2020 માં ગલવાન ઘાટીમાં ઘાતક અથડામણ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો તંગ બન્યા હતા.