May 18, 2024

IND vs ENG: ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડીએ રોહિત શર્માને લઈને કહી આ મોટી વાત

ઈંગ્લેન્ડ: સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 28 રને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પ્રથમ દાવમાં 190 રનની લીડ લીધા બાદ ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી હતી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કરીને બતાવ્યું હતું. કોહલીની ગેરહાજરી હોવાના કારણે રોહિત શર્મા પર વધારે જવાબદારી હતી. ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી જેફ્રી બોયકોટે કેપ્ટન રોહિત શર્મા માટે મોટું નિવેદન આપ્યું છે.

કહી આ મોટી વાત
જ્યોફ્રી બોયકોટે કહ્યું કે વિરાટ કોહલીને લઈને નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે ભારત વિરાટ કોહલીને યાદ કરી રહ્યું છે. રવિન્દ્ર જાડેજાને લઈને તેમણે કહ્યું કે રવિન્દ્ર જાડેજાને હેમસ્ટ્રિંગમાં ઈજા છે અને તે બીજી ટેસ્ટ રમશે નહીં. કેપ્ટન રોહિત શર્માની વાત કરતા તેમણે કહ્યું કે તેમની ઉંમર લગભગ 37 વર્ષની છે તે કેટલીકવાર ટૂંકી ઇનિંગ્સ રમે છે, પરંતુ ચાર વર્ષમાં તેણે ઘરઆંગણે માત્ર બે ટેસ્ટ સદી ફટકારી છે. તેમની ટીમ ફિલ્ડિંગમાં પણ નબળી હોવાનું તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે.

આ પણ વાચો: સાનિયાથી બેવફાઈનું મળ્યું ફળ! શોએબ મલિક પર લાગ્યો ગંભીર આરોપ

ટીમ ઈન્ડિયા હારી ગઈ
રવિચંદ્રન અશ્વિન, જાડેજા અને અક્ષર પટેલની સ્પિન ત્રિપુટી બીજા દાવમાં કઈ ખાસ જોવા મળી ના હતી. બોયકોટે વધુમાં કહ્યું કે 190 રનની લીડ લીધા બાદ હારવું ભારતીય ટીમ માટે આઘાતજનક હશે. તેણે જાડેજાને યાદ કરતા કહ્યું કે ભારતીય ટીમ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં શરૂ થનારી ટેસ્ટમાં જાડેજાની ખૂબ જ ખોટ કરશે. જાડેજાની બાદબાકી એ મોટો આઘાત કહી શકાય. તે એક શાનદાર બોલર અને ઉત્તમ ફિલ્ડર છે. તે પ્રથમ ટેસ્ટમાં ભારતનો ટોપ સ્કોરર પણ હતો. કોહલી તેમનો પ્રભાવશાળી ખેલાડી છે. તેની હાજરી ટીમના અન્ય સભ્યોને પણ ઉત્સાહિત કરે છે. તેની ગેરહાજરી ભારત માટે મોટો ફટકો કહી શકાય. તેમણે ઈંગ્લેન્ડને સલાહ આપતા કહ્યું કે ત્રીજી ટેસ્ટમાં તેની વાપસી પહેલા ઈંગ્લેન્ડે તેનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ.

આ પણ વાચો: IND vs ENG : ઓ બાપરે…66 બોલમાં 23 જ રન, શુભમન ગિલ થયો બરાબરનો ટ્રોલ