July 2, 2024

26 મેની મધરાતે Remal Cyclone બાંગ્લાદેશ-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે અથડાય તેવી શક્યતા

Credit: Windy.com

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે (IMD) શુક્રવારે જણાવ્યું હતું કે, રવિવારે (26 મે) મધરાતની આસપાસ સાગર દ્વીપ અને ખેપુપારા વચ્ચે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે તીવ્ર ચક્રવાત વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. IMDએ મધ્ય બંગાળની ખાડી પરના ડિપ્રેશનને કારણે ચક્રવાતી તોફાન આવતું હોવાનું જણાવ્યુ છે. તે સતત ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.

પશ્ચિમ મધ્ય અને દક્ષિણ બંગાળની ખાડી પર ચિહ્નિત થયેલા નીચા દબાણનો વિસ્તાર 24 મેના રોજ ખેપુપારા (બાંગ્લાદેશ)થી અંદાજે 800 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં અને કેનિંગ (પશ્ચિમ બંગાળ)થી 810 કિમી દૂર મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાત પરિવર્તિત થઈ ગયું છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ‘લગભગ ઉત્તર તરફ આગળ વધીને 26મી મેની મધરાત આસપાસ સાગર દ્વીપ અને ખેપુપારા વચ્ચે બાંગ્લાદેશ અને તેની નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને અસર કરે તેવી શક્યતા છે.

IMDનું લેટેસ્ટ અપડેટ
IMDએ જણાવ્યું છે કે, 26 અને 27 મેના રોજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓ અને ઉત્તર ઓડિશાના આજુબાજુના જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26 મેના રોજ ભારે વરસાદની સંભાવના છે. IMDએ 26 મેના રોજ મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરમાં છૂટાછવાયા સ્થળોએ અને 27 અને 28 મેના રોજ આસામ અને મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં ભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ Lok Sabha Election 2024: છઠ્ઠા તબક્કામાં કુલ 58 બેઠક પર મતદાન શરૂ

ઓડિશાના દરિયાકાંઠે તોફાની પવનની વધવાની શક્યતા
25 મેના રોજ આંદામાન ટાપુઓમાં મોટાભાગના સ્થળોએ હળવો અને ભારે વરસાદની શક્યતા છે. IMD અનુસાર, 25 મેના રોજ મધ્ય અને દક્ષિણ બંગાળની ખાડીમાં પવનની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની છે. બાંગ્લાદેશમાં 40-50 કિમી પ્રતિ કલાકથી લઈને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 25મી મેની સાંજથી પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના ઉત્તર ઓડિશાના દરિયાકાંઠે તોફાની પવનની ગતિમાં વધારો થવાની સંભાવના છે. 26મી મેની સવારથી તે 60-70 kmphથી 80 kmphથી વધીને 100-120 kmph થશે.

25 મેના રોજ મધ્ય અને દક્ષિણ બંગાળની ખાડીમાં સમુદ્રની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેવાની શક્યતા છે. માછીમારોને 24 મે સુધી દક્ષિણ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં, 26 મે સુધી મધ્ય બંગાળની ખાડી અને 25 મેથી 27 મે સુધી ઉત્તર બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. દરિયામાં ગયેલા માછીમારોને પણ દરિયાકાંઠે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.