July 2, 2024

Rathyatra 2024: રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બનશે 101 શણગારેલા ટ્રક

ટ્વિંકલ જાની, અમદાવાદ: અમદાવાદની ઓળખ સમા ભગવાન જગન્નાથની રથયાત્રાને ગણતરીનાં દિવસો જ બાકી. આ વર્ષે જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. ત્યારે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રક આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વર્ષે 101 જેટલી ટ્રક રથયાત્રામાં જોડાશે. જેમાં નવું સાંસદ ભવન, બેટી બચાવો, વૃક્ષો વાવો જેવી થીમ પર ટ્રકોને શણગારવામાં આવશે.

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નગરયાત્રાએ નિકળશે. ત્યારે આ 22 કિમી લાંબી રથયાત્રામાં અનેક કરતબ બાજો, અખાડા,ભજન મંડળી,ટ્રક ચાલકો જોડાય છે. જેમાં ટ્રક એસોસિએશન દ્વારા દર વર્ષે અવનવી ટ્રક શણગારીને લોકોનું ધ્યાન ખેંચવામાં આવતું હોય છે. ત્યારે, મોટી સંખ્યામાં ટ્રકો રથયાત્રાની શોભા વધારશે. આ વર્ષે 101 જેટલી ટ્રક રથયાત્રામાં જોડાશે.

શણગારેલા આ 101 ટ્રકમાં નવું સાંસદ ભવન, બેટી બચાવો, વૃક્ષો વાવો જેવી થીમ પર ટ્રકોને શણગારવામાં આવશે. તો, સૌથી સારી ટ્રક શણગારવામાં આવી હશે તેને ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. તેવું ટ્રક એસોસિએશન પ્રેસિડેન્ટ વિશાલ લોધાએ News Capital સાથે વાત કરતા જણાવ્યું છે. તો વધુમાં, 33 જેટલી ટ્રકોને ઈનામ પણ આપવામાં આવશે. જેમાં શણગારેલી ટ્રક, ટ્રકમાં વિશેષ વેશભૂષા અને કઈ થીમ પર ટ્રકને શણગારવામાં આવી છે. તે દરેક બાબતોનું ધ્યાન રાખીને યોગ્ય પુરસ્કાર આપવામાં આવે છે.