News 360
March 10, 2025
Breaking News

સરદારધામના ઉપપ્રમુખ પર હુમલો કરનારા PI સસ્પેન્ડ, DGPની સૂચનાથી કાર્યવાહી

રાજકોટઃ ખોડલધામ અને સરદારધામ વિવાદ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ વિવાદમાં PI સંજય પાદરીયાની ભૂમિકા અંગે પોલીસ વિભાગે તપાસ કરી હતી. ત્યારબાદ તપાસને અંતે PIને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. DGP વિકાસ સહાયની સૂચનાથી કાર્યવાહી કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?
ગઈકાલે રાતે સરદારધામના ઉપપ્રમુખ અને બીજેપી અગ્રણી પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે ખાનગી હોસ્પિટલ ખાતે પાટીદાર અગ્રણી અને બીજેપી અગ્રણી પહોંચ્યા છે. ખોડલધામ સાથે સંકળાયેલા PIએ હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જૂનાગઢમાં ફરજ બજાવતા PI સંજય પાદરીયાએ હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જયંતિ સરધારાને સરદારધામના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપવાનું કહી હુમલો કરવામાં આવ્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ હિરપરા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલમાં પહોંચ્યો છે. પોલીસ દ્વારા જયંતિ સરધારાનું નિવેદન લેવામાં આવ્યું છે.